એક્ટ્રેસ કંગના રણૌતે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ખૂબ જ વખાણ કર્યા છે. સાથે જ કંગનાએ આ કપલને લઈને એક મોટી વાત પણ કહી છે.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા કરવા જઈ રહ્યા છે લગ્ન
એક્ટ્રેસ કંગના રણૌતે કપલને લઈને કહી મોટી વાત
કિયારા-સિદ્ધાર્થના વખાણ કરતા કંગનાએ કરી પોસ્ટ
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ કિયારા અડવાણીનું નામ હાલ લગ્નની ખબરોને લઈને સતત ચર્ચામાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે આવનાર 7 ફેબ્રુઆરીએ બન્ને સુપરસ્ટાર સાત ફેરા લશે.
આ વચ્ચે બી ટાઉનની ફેમસ એક્ટ્રેસ કંગના રણૌતે પણ સિડ-કિયારાના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેની સાથે જ કંગનાએ આ કપલના સાચ્ચા પ્રેમના ખૂબ જ વખાણ કરતા મોટી વાત કહી દીધી છે.
કંગનાએ કર્યા સિડ-કિયારાના વખાણ
હાલનાં સમયમાં બધી બાજુ સિડ-કિયારાના વેડિંગને લઈને ખૂબ જ બઝ છે. એવામાં હવે બોલિવુડ એક્ટ્રેસ કંગનાએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને લઈને સ્પેશિયલ પોસ્ટ શેર કરી છે.
હકીકતે કંગનાએ પોતાના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ફોટો શેર કર્યા અને લખ્યું, "આ કપલ કેટલું સુંદર છે. ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મોની સાથે સાથે અસલી પ્રેમ ખૂબ જ ઓછો જોવા મળે છે. આ કપલ એક સાથે ખૂબ જ સારા દેખાય છે."
આ રીતે કંગનાએ સિદ્ધાર્થ અને કિયારાના ખૂબ જ વખાણ કર્યા. ત્યાં જ કંગનાની આ ઈન્સ્ટા સ્ટોરીથી એ અનુમાન સરળતાથી લગાવવામાં આવી શકે છે કે સિડ-કિયારાના લગ્ન કરવા જઈ રહ્યા છે.