કંગના રનૌત પાસેથી કેટલાક લોકોએ તે કોવિડ નેગેટિવ હોવાની રિપોર્ટ માંગી તો તેનો પિત્તો ગયો અને પોતાના સ્ટાઈલમાં તેણે રિપોર્ટ શેર કરી બધાંની બોલતી બંધ કરી દીધી.
કંગના ફરી આ લોકો પર ભડકી
અમુક લોકોએ કંગના રનૌત પાસેથી તે કોવિડ નેગેટિવ હોવાની રિપોર્ટ માંગી
પોતાના સ્ટાઈલમાં તેણે રિપોર્ટ શેર કરી બધાંની બોલતી બંધ કરી
સોશિયલ મીડિયા પર હમેશા એક્ટિવ રહેનારી એક્ટ્રેસ કંગના રનૌત ખુદને રામ ભક્ત કહીને કોરોના રિપોર્ટ માંગનારાઓને રાક્ષણ ગણાવ્યા અને પોતાનો નેગેટિવ રિપોર્ટ શેર કર્યો છે. કંગનાએ આવા લોકોને જડબાતોડ જવાબ આપતા રિપોર્ટ શેર કરી અને લખ્યું- બધાં રાક્ષસ જે મારી રિપોર્ટ માંગી રહ્યો હતા, કારણ કે તેઓ જેવા છે તેમને દુનિયા એવી જ લાગે છે, એ લોકો માટે આ રહી મારી રિપોર્ટ. એક રામ ભક્ત ક્યારેય ખોટું નહીં બોલે...શ્રી રામ.
હકીકતમાં કંગના કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ થઈ ગઈ હતી. 8 મેએ તેણે કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આપ્યા હતા. લગભગ 10 દિવસ બાદ તેણે ફેન્સને જણાવ્યું કે તેણે કોરોનાને મ્હાત આપી દીધી છે. તેણે પોતાના પોસ્ટમાં લખ્યું હતું કે, તેણે કોરોનાને કઈ રીતે હરાવ્યો. એ અંગે તે ઘણું બધુ કહેવા માંગે છે, પરંતુ એ પછી તેણે એક વીડિયો પોસ્ટ કર્યો અને તેણે કોવિડ દરમિયાન શું-શું કર્યું એ જણાવ્યું.
આ વીડિયો જોયા બાદ લોકોએ તેની ક્લાસ લગાવી દીધી અને પુરાવા માંગવા લાગ્યા. જે બાદ કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતે કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ શેર કર્યો હતો.
આ વીડિયોમાં કંગનાએ કહ્યું- અગાઉ જ્યારે મૈં એનાઉન્સ કર્યું હતું તો કેટલાક લોકોને ખૂબ હર્ટ થયું હતું, કારણ કે મેં કહ્યું હતું કે આ સ્મોલ ટાઈમ વાયરલને હરાવીએ છે. અહીં કોઈ સ્વતંત્રતા નથી, નકારાત્મક લોકોના કેટલાક ગ્રુપમાં હાવી રહે છે. પરંતુ મારી બહેને કહ્યું કે જો આ લોકોનું ચાલે તો તને શ્વાસ પણ નહીં લેવા દે. આવા લોકોને પોતાના પર હાવી થવા દેવા નહીં. જેથી હું મારા અનુભવો તમારી સાથે શેર કરવા માંગું છું.