કંગના રનૌતના મુંબઈ પહોંચતા પહેલા બીએમસીએ એક્શન લેતા તેમની ઓફિસમાં તોડફોડ કરી દીધી છે. કંગનાના વકીલની સાથે અનેક લોકોએ આને બદલાની રાજનીતિ ગણાવી છે. ત્યારે આ મામલામાં શિવસેનાના લીડર સંજય રાઉતે કહ્યું કે, તેમનો આ મામલામાં કોઈ લેવા દેવા નથી. કંગનાએ પોતાની ઓફિસના અનેક વીડિયો અને ફોટો શેર કર્યા હતા. જેમાં તેમની પ્રોપર્ટીનું નુકસાન સરળતાથી જોઈ શકાય છે. હવે કંગનાએ ટ્વીટ કરતા એક વાર ફરી મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાઘ્યું છે.
ઓફિસને છેલ્લા 24 કલાકમાં ગેરકાયદેસર ગણાવી દેવામાં આવી
હવે કંગનાને ધમકી આપી રહ્યા છે કે તે ઘરે આવશે અને તેને પણ તોડી નાંખશે
કંગનાએ ટ્વીટ કરી લખ્યું કે મારી ઓફિસને છેલ્લા 24 કલાકમાં ગેરકાયદેસર ગણાવી દેવામાં આવી. તેમણે અંદર બધું જ તોડી નાંખ્યું છે. જેમાં ફર્નિચર અને લાઈટ્સ પણ છે અને હવે મને ધમકી આપી રહ્યા છે કે મારા ઘરે આવશે અને તેને પણ તોડી નાંખશે. હું એ વાતને લઈન ખુશ છું કે મૂવી માફિયાના પસંદીદા મુખ્યમંત્રીને લઈને જજમેન્ટ બહું યોગ્ય હતુ.
My office was suddenly declared illegal in last 24 hours, they have destroyed everything inside including furniture and lights and now I am getting threats they will come to my house and break it as well,I am glad my judgement of movie mafia’s favourite world’s best CM was right. https://t.co/mMGbFeRztI
ઉલ્લેખનીય છે કે કંગના અને શિવસેનાના લીડર સંજય રાઉતની વચ્ચે શબ્દ યુધ્ધ થઈ રહ્યું છે. આ ટ્વીટ વોરમાં કંગનાએ મુંબઈને અસુરક્ષિત અને પીઓકે ગણાવ્યું હતુ. ત્યારે સંજયે કંગનાને હરામખોર અને પછી નોટી કહ્યું હતું. જો કે કંગનાની ઓફિસમાં તોડફોડ થઈ તો તેમણે પોતાના ઓફિસને રામમંદિર અને બીએમસીના કર્મચારીઓને બાબર સાથે સરખાણમી કરી દીધી હતી. કંગના હવે સીધા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધી રહી છે અને તેમણે કહ્યું કે જલ્દી ઠાકરેનો ઘમંડ તુટશે.
ઉલ્લેખનીય છે કે કંગનાના સપોર્ટમાં ઘણા બોલીવુડ સ્ટારે ટ્વીટ પણ કર્યું છે. જેમાં અનુપમ ઘેર, દિયા મિર્ઝા, રવીના ટંડન, મધુર ભંડારકર, નિખિલ દ્વિવેદી જેવા ઘણા લોકોએ કંગનાનો સપોર્ટ કર્યો છે અને બીએમસીના એક્શનની નિંદા કરી છે.