બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે ભારતના વીરપુત્ર મોદી હેશટેગનો ઉપયોગ કરીને લખ્યું કે પ્રધાનમંત્રી જ દેશ છે ત્યારે રિટાયર્ડ IAS એ ટ્વિટર પર તેની જોરદાર ઝાટકણી કાઢી.
ટ્વિટર પર ભારતના વીરપુત્ર મોદી હેશટેગ ટ્રેન્ડ કરાયું
કંગનાએ લખ્યું પ્રધાનમંત્રીને ટેકો આપવો આપણો ધર્મ અને કર્મ
કંગનાએ લખ્યું કે પિતા સમાન છે પ્રધાનમંત્રી, તેઓ જ દેશ છે
કંગનાની સલાહ, પ્રધાનમંત્રીનું સમર્થન કરવું જ ધર્મ અને કર્મ
કંગનાએ લખ્યું કે જ્યારે તમારી પાસે દુનિયાના સૌથી કાબેલ નેતા હોય, તો ખુદ પ્રધાનમંત્રી બનવાની કોશિશ ન કરવી જોઈએ. તેમનુ સમર્થન કરો, આ જ આપણો ધર્મ અને કર્મ છે.
प्रधानमंत्री ही देश है??
कंगना जी, जो कोई भी आपके लिए ट्वीट लिख रहा है उसने 8वीं कक्षा तक भी ‘नागरिकशास्त्र’ की किताब नहीं पढ़ी है।
लोकतंत्र शासन का वह प्रकार है, जिसमें प्रभुत्व शक्ति समष्टि रूप में जनता के हाथ में रहती है, जनता अन्तिम नियंत्रण रखती है।
— Surya Pratap Singh IAS Rtd. (@suryapsingh_IAS) April 24, 2021
તમારો આ ટ્રેન્ડ કોઈની અંતિમયાત્રામાં ફટાકડાં ફોડવા જેવું કૃત્ય
કંગનાની આ ટીપ્પણી પર ઉગ્ર વાંધો ઉઠાવતા નિવૃત આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાપસિંહે લખ્યું કે કંગના જી, તમે પ્રધાનમંત્રીના સમર્થક છો કે તેમના ધુર વિરોધી કારણ કે આ સમયે આવો ટ્રેન્ડ કોઈ દુશ્મન જ કરી શકે છે, છાપ વધારે ખરડવા માટે. જ્યારે ચારે બાજુએ લાશો જ લાશો છે ત્યારે તમારો આ ટ્રેન્ડ કોઈની અંતિમયાત્રામાં ફટાકડાં ફોડવા જેવું કૃત્ય છે. આયોડિન યુક્ત નમકનો ઉપયોગ કરો બેટા.
और जनता का निर्णय है नरेंद्र दामोदर मोदी .... तभी वो प्रधानमंत्री है, ऐसी पढ़ाई का क्या मतलब जो जाने सब कुछ और समझे कुछ भी नहीं, अगले चुनावों में आप प्रधानमंत्री बनने की कोशिश करना तब तक जो हैं उनको उनका काम करने दो 🙏
કંગનાએ લખ્યું કે પિતા સમાન છે પ્રધાનમંત્રી, તેઓ જ દેશ છે
કંગનાએ લખ્યું કે જે વ્યક્તિએ તેમનું આખું જીવન દેશ સેવામાં લગાડી દીધું અને બદલામાં તેમને ફક્ત ઈર્ષા, નફરત અને જુઠ મળ્યું. આવી સ્થિતિમાં તે વ્યક્તિને કે જેઓ દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે તેમને મનોબળ આપવું, તેમના પ્રયાસોની પ્રશંસા કરવી તેમની પર અહેસાન નથી. આ દેશ પર અહેસાન છે. પ્રધાનમંત્રી જ દેશ છે. પ્રધાનમંત્રી આપણાથી અલગ છે તેવું વિચારવું હોય તો લોકશાહીનો ઢોંગ કેમ કરવો. વોટ આપીને એક પ્રતિનિધિને ચૂંટવાનું ખૂબ ખર્ચાળ કામ જ શું કામ કરવું. પ્રધાનમંત્રી દેશ માટે પિતા સમાન છે. તેમની દાનત પર સંદેહ અથવા તો તેમના હાર જવાની આકાંક્ષા રાખવી બેવકૂફી છે.
રિટાયર્ડ આઈએએસની સલાહ, કૃપા કરીને વધુ ભણો
સૂર્યપ્રતાપ સિંહે કંગનાને જવાબ આપતા લખ્યું કે પ્રધાનમંત્રી જ દેશ છે. કંગના જી, જે કોઈ પણ તમારે માટે ટ્વિટ લખી રહ્યાં છે તેમણે 8 મા ધોરણની પણ નાગરિકશાસ્ત્રની ચોપડી વાંચી નથી. લોકશાહી તંત્રમાં તો તમામ પ્રભુત્વશક્તિ લોકોના હાથમાં રહે છે, લોકો અંતિમ અંકૂશ ધરાવતા હોય છે. કૃપા કરીને વધુ ભણો.