બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અત્યારે તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ખૂબ જ ચર્ચામાં છે. સુશાંતના નિધન બાદથી કંગના બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસ અને કેટલાક સેલેબ્સ પર નિશાન સાધ્યું છે. બોલિવૂડમાં કામ કરતી હોવા છતાં કંગના ઈન્ડસ્ટ્રી વિરૂદ્ધ બોલવામાં ક્યારેય ગભરાતી નથી. કંગનીએ કેટલાક સ્ટાર કિડ્સ સહિત કરણ જોહર સહિત, મહેશ ભટ્ટથી લઈને તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કર જેવા સેલેબ્સને આડે હાથ લીધા છે. આ દરમિયાન કંગનાએ ઈન્ડસ્ટ્રીમાં તેના ખરાબ સમયને પણ યાદ કરતા કેટલીક વાતો જણાવી છે.
કંગના રનૌત અત્યારે તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ખૂબ જ ચર્ચામાં છે
સુશાંતની મોત બાદ કંગનાએ ઈન્ડસ્ટ્રીના ઘણાં લોકોને આડે હાથ લીધા છે
ત્યારે કંગના પોતાની આપવીતી જણાવતા ચોંકાવનારો ખુલાસો કર્યો
એક હાલના જ ઈન્ટરવ્યૂમાં કંગના રનૌત કેટલાક ખુલાસા કર્યા છે. એક્ટ્રેસે કહ્યું કે વર્ષ 2016માં તનુ વેડ્સ મનુ જેવી હિટ આપ્યા બાદ મેં 18 બ્રાન્ડ્સ સાઈન કર્યા. પછી અચાનક મારો એક્સ આવે છે જેની સાથે 2013માં મારું બ્રેકઅપ થઈ ગયું હતું. તેણે મારા પર કેસ કરી દીધો. લોકોને ખૂબ જ અજીબ લાગ્યું પણ આ મારા વિરૂદ્ધ એક પ્લાન હતો. એક્ટ્રેસે કહ્યું- મારા માટે ડાયન જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે મારા માટે લગ્ન અને પરિવાર બનાવવાનો ઓપ્શન ખતમ થઈ ગયો.
તેણે આગળ જણાવ્યું-બે મહિનામાં ઘણાં બ્રાન્ડ્સથી પીછેહઠ કર્યા બાદ મારી પાસે કોઈ ઓપ્શન બચ્યો નહોતો. એ દરમિયાન મને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો, પરંતુ એવું જરૂર લાગતું હતું કે માથે મુંડન કરીને ક્યાંક ગાયબ થઈ જાઉં અને કોઈને ના મળું, એક સમયે મારા સંબંધીઓ મને તેમના બાળકોથી પણ મળવાની પરવાનગી આપતા નહોતા, કારણ કે ગામડાઓમાં સન્માન જ બધું હોય છે.
સુશાંતના સુસાઈડ કેસ વિશે વાત કરતા કંગનાએ કહ્યું-મુંબઈ પોલીસે મને નિવેદન માટે બોલાવી તો મેં કહ્યું કે હું મનાલીમાં છું. શું તમે કોઈને અહીં મને લેવા માટે મોકલી શકો છો પરંતુ એ લોકો તરફથી કોઈ રિસ્પોન્સ આવ્યો નહીં. જો મેં જે કંઈપણ કહ્યું છે તેને સાબિત નહીં કરી શકું તો હું મારો પદ્મશ્રી પાછો આપી દઈશ. એવામાં હું આ સન્માનને લાયક નથી.