બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે જ્યારથી ટ્વિટર જોઈન કર્યું છે ત્યારથી સતત આ પ્લેટફોર્મ પર એક્ટિવ છે. સુશાંતને ન્યાય અપાવવા માટે કંગનાએ આ માઇક્રોબ્લોગિંગ સાઇટ જોઈન કરી હતી પરંતુ થોડાં સમય પછી સુશાંત કેસ મામલે શિવસેના સાથે વિવાદને કારણે તેને અંગત રીતે ભારે નુકસાન થયું છે.
બીએમસીએ કંગનાના 48 કરોડની કિંમતના એફિસ પર બુલડોઝર ચલાવી દીધું, જેની તકલીફને કંગના હજી ભૂલી નથી. ત્યારબાદથી કંગના ડાયરેક્ટ અથવા ઈનડાયરેક્ટ રીતે મહારાષ્ટ્ર સરકારને નિશાન બનાવી રહી છે. હાલમાં જ તેણે અન્ય એક એક એવી ટ્વિટ કરી જેમાં તેણે કોઈનું નામ લીધું નથી, પરંતુ લાગે છે કે તેણે આ ટ્વિટ શિવસેનાને ટાંકીને જ કરી છે.
I may come across as a very ladaku person but it’s not true, I have a record of never starting a fight, I will quit twitter if anyone can prove otherwise, I never start a fight but I finish every fight. Lord Krishna said when someone aks you to fight you mustn’t deny them 🙂
કંગનાએ તેના ટ્વિટમાં લખ્યું કે, હું એક ઝગડાખોર છોકરી જેવી લાગી શકું છું, પરંતુ તે સાચુ નથી. મારો રેકોર્ડ રહ્યો છે કે, મૈં ક્યારેય ઝગડા શરૂ કર્યો નથી અને જો કોઈ આ વાતને ખોટી સાબિત કરી દે તો હું ટ્વિટર છોડી દઈએ. હું ક્યારેય લડાઈ શરૂ નથી કરતી પરંતુ હાં ખતમ જરૂર કરું છું. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે જ્યારે કોઈ તમને લડવાનું કહે તો તેને નકારવું જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે, કંગના હાલમાં જ તેના ધ્વસ્ત થયેલાં ઓફિસની તસવીરો શેર કરી હતી અને કહ્યું હતું કે, આ તેના સપનાઓનો બળાત્કાર નથી તો શું છે. કંગનાએ લખ્યું- એક ઉંમર નીકળી જાય છે ઘર બનાવવામાં અને તમે સહેજ પણ નથી વિચારતા તેને બરબાદ કરવામાં. આ જુઓ મારા ઘરની કેવી હાલત કરી નાખી.