કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ'નું ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. કંગના રનૌત અને અર્જુન રામપાલની આ ફિલ્મ 20 મેના રોજ થિયેટરોમાં રીલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમજ ફિલ્મો સિવાય કંગના તેના અદમ્ય અંદાજ માટે પણ ઓળખાય છે.
અફવાઓના કારણે બોલીવુડની ક્વીન કંગના રનૌત પરેશાન
ઘણા સમય બાદ અભિનેત્રીએ પોતોના લગ્ન વિશે કરી વાત
હું ખુદને પાંચ વર્ષોમાં એક માં અને પત્નીના રુપમાં જોઉ છું
કંગના કોઈ પણ મુદ્દા પર વાત કરતા અચકાતી નથી. પરંતુ જ્યારે પણ તેની પર્સનલ લાઈફની વાત આવે ત્યારે કંગના મૌન રહેવામાં જ સમજદારી માને છે. અત્યાર સુધી કંગનાએ તેના રિલેશનશિપ સ્ટેટસ વિશે કોઈ વાત મુકી નથી. પરંતુ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કંગનાએ ખુલાસો કર્યો કે શા માટે તેમને લગ્ન થવામાં મુશ્કેલી આવી રહી છે.
કંગના રનૌતે તેના ફિલ્મ પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં શેર કર્યું કે આખર તે લગ્ન કેમ કરી શકતી નથી? કંગનાએ હસતા કહ્યું કે અફવાઓના કારણે તે લગ્ન નથી કરી શકતી. તેને કહ્યું કે એવી અફવાઓ વહેતી થઈ છે કે, 'હું છોકરાઓને મારુ છું.' કંગનાએ કહ્યું કે આવી અફવાઓએ એવી ધારણા બનાવી દીધી છે, જે એને સ્પેશિયલ માણસ શોધતા રોકી રહી છે.
આ ઈન્ટરવ્યુમાં કંગનાએ વધુમાં કહ્યું, એવુ નથી રીયલ રાઈફમાં હું કોને મારીશ? હું લગ્ન નથી કરી શકતી કારણ કે તમારા જેવા લોકો જ આવી અફવાઓ ફેલાવે છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કંગનાએ તેના ભવિષ્યને લઈને પણ વાત કરી હતી. તેણે એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે આગામી 5 વર્ષોમાં પોતાને એક માંના રુપમાં જોવા માંગે છે. કંગનાએ કહ્યું કે, હું લગ્ન કરવા માગુ છું અને બાળકો ઈચ્છુ છું. હું પોતાને પાંચ વર્ષોમાં એક માં અને પત્નીના રુપમાં જોઉ છું.