કંગના રાણાવતે દેશની આઝાદીને લઈને જે નિવેદન આપ્યું હતું તેનાં પર વિવાદ વધી રહ્યો છે. હવે આ વિવાદમાં કેટલાક રાજકીય નેતાઓ પણ સામેલ થયા છે.
કંગના રાણાવતે દેશની આઝાદીને લઈને જે નિવેદન આપ્યું હતું તેનાં પર વિવાદ વધી રહ્યો છે. સાચી સ્વતંત્રતા તો 2014 માં મળી હતી અગાઉ તો ભીખમાં સ્વયંત્રતા મળી હતી એવું કહીને ફસાયેલી કંગના પર રાજકીય અને બિન રાજકીય સંગઠનો તેમજ લોકો દ્વારા પ્રહારો કરવામાં આવ્યા હતા.
કંગનાએ ગુસ્સો ઉતાર્યો
કંગના રનૌત ફરી એકવાર ખોટા કારણોસર ચર્ચામાં છે. વરુણ ગાંધીએ તેમના નિવેદન પર ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી કે દેશને આઝાદી ભીખમાં મળી હતી. વરુણનું ટ્વિટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા કંગનાએ લખ્યું કે, જ્યારે મેં સ્પષ્ટપણે કહ્યું કે 1857ની ક્રાંતિ પર અંકુશ હતો, જેના કારણે બ્રિટિશ શાસન દ્વારા વધુ અત્યાચાર અને નિર્દયતા આચરવામાં આવી હતી અને લગભગ એક સદી પછી આપણને આઝાદી મળી હતી. એ પણ ગાંધીજીની ભીખ પર. જા હવે વધુ રડ.
શું હું આ વિચારને ગાંડપણ કહી શકું કે દેશદ્રોહ?
ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા અને સાંસદ વરુણ ગાંધીએ પણ કંગના રનૌત પર તેમના નિવેદન બદલ આકરા પ્રહારો કર્યા. વરુણ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, "કેટલીક વાર મહાત્મા ગાંધીજીના બલિદાન અને તપનું અપમાન, ક્યારેક તેમના હત્યારા પ્રત્યે આદર, અને હવે રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓને શહીદ મંગલ પાંડેના બલિદાન માટે તિરસ્કાર. શું હું આ વિચારને ગાંડપણ કહી શકું કે દેશદ્રોહ?
कभी महात्मा गांधी जी के त्याग और तपस्या का अपमान, कभी उनके हत्यारे का सम्मान, और अब शहीद मंगल पाण्डेय से लेकर रानी लक्ष्मीबाई, भगत सिंह, चंद्रशेखर आज़ाद, नेताजी सुभाष चंद्र बोस और लाखों स्वतंत्रता सेनानियों की कुर्बानियों का तिरस्कार।
સોશિયલ મીડિયા પર ટીકા
કંગના રનૌતના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ હતી. લોકોએ કહ્યું કે કંગના હજારો બલિદાનની ભીખ માંગી રહી છે. ઘણા લોકોએ યુપીએ શાસન દરમિયાન રાષ્ટ્રીય પુરસ્કાર સ્વીકારવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. યુઝરે કહ્યું કે જો તે સ્વતંત્રતા ભીખ હતી તો તમે તે રાષ્ટ્રીય પુરસ્કાર શા માટે લીધો? એક યુઝરે તેને ક્વીન ઓફ ધ દુપનું બિરુદ પણ આપ્યું હતું. અન્ય એક યુઝરે લખ્યું કે કંગના પોતે લાકડાના ઘોડા પર સવારી કરે છે અને પ્લાસ્ટિકની તલવાર સાથે વીરાંગના બની જાય છે.
આનું મગજ તો ઠેકાણે છે ને?
ઉલ્લેખનીય છે કે માત્ર વરૂણ ગાંધી નહી પરંતું અકાળી દળના વરિષ્ઠ નેતા મનજિંદર સિંહે પણ કંગનાના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમા તેમણે એવું કહ્યું છે કે મણિકર્ણિકાનો રોલ પ્લે કરવા વાળી આર્ટિસ્ટ આઝાદીને ભીખ કેવી રીકે કહી શકે તે ખબર નથી પડતી. સાથેજ તેમણે કંગાનાના માનસીક સંતુલન ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. ઉપરાંત તેમણે એવી અપીલ પણ કરી છે કે કંગનાને રાષ્ટ્રપતિ દ્વારા જે સન્માન આપવામાં આવ્યું છે તેના પર ફરીથી વિચાર કરવામાં આવે. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે જો કંગના માફી નહી માગે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામા આવશે.