ગઈકાલ એટલે કે શનિવારથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે. ત્યારેઅભિનેત્રી કંગના રનૌતની નવરાત્રિની શરૂઆત કાનૂની કાર્યવાહીથી થઈ છે. હકીકતમાં બાન્દ્રા કોર્ટે કાસ્ટિંગ ડિરેક્ટર સાહિલ અશરફ સય્યદની ફરિયાદ બાદ હાલમાં જ કંગના રનૌત અને તેની બહેન વિરૂદ્ધ FIR દાખલ કરવાના આદેશ આપ્યા હતા. જેના પર એક્શન લેતા શનિવારે મુંબઈમાં બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કાર્યવાહી દાખલ કરી છે. ત્યારે કંગનાએ પણ આનો જોરદાર જવાબ આપ્યો છે.
કંગના રનૌત સુશાંતની મોત બાદ ઘણી જ ચર્ચામાં છે
કંગનાનો મહારાષ્ટ્ર સરકાર પર પલટવાર
કંગના પર ધર્મના નામે નફરત ફેલાવાનો છે આરોપ
કંગનાએ નવરાત્રિની તસવીર શેર કરતા શિવસેના પર નિશાન સાધ્યું છે. તેણે લખ્યું છે કે, કોણ કોણ નવરાત્રિ ઉપર વ્રત રાખી રહ્યું છે ? જેમ કે હું પણ વ્રત રાખી રહું છું. આ તસવીર આજની ઉજવણીની છે. આ દરમિયાન મારી વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. લાગે છે કે મહારાષ્ટ્ર સરકારની પપ્પુ સેનાને મારાથી વધારે લગાવ થઈ ગયો છે. મને આટલી મીસ ન કરો, હું જલ્દી ત્યાં આવીશ.
Who all are fasting on Navratris? Pictures clicked from today’s celebrations as I am also fasting, meanwhile another FIR filed against me, Pappu sena in Maharashtra seems to be obsessing over me, don’t miss me so much I will be there soon ❤️#Navratripic.twitter.com/qRW8HVNf0F
કંગના રનૌતે આ ટ્વિટ દ્વારા સંકેત આપી દીધા છે કે તે મહારાષ્ટ્ર સરકારનો સામનો કરવા માટે તૈયાર છે. આ પહેલાં કંગના અને શિવસેના વચ્ચે શબ્દોનું યુદ્ધ થયું હતું. કંગનાની ઓફિસમાં BMCએ તોડફોડ કરી હતી. કોર્ટમાં આ મામલાને લઈને સુનાવણી ચાલી રહી છે.
કંગના અને રંગોલી ઉપર લાગ્યા છે આ આરોપ
બાન્દ્રામાં કરવામાં આવેલી ફરિયાદની વાત કરીએ તો આ FIR મુજબ કંગના અને રંગોલીએ પોતાના ટ્વિટ દ્વારા સાંપ્રદાયિક સદભાવ બગાડવા અને મહારાષ્ટ્ર સરકારનું નામ બદનામ કરવાનું કામ કર્યું છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંગનાએ બોલિવૂડના હિંદુ અને મુસ્લિમ કલાકારો વચ્ચે મોટો ખાડો બનાવી દીધો છે. તે સતત આપત્તિજનક ટ્વિટ કરી રહી છે. જેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે અને સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો નારાજ થયા છે.