એક્ટ્રેસ કંગના રનૌત બુધવારે સવારે 7 વાગે ચંડીગઢ જવા માટે નિકળી, બાદમાં તેણે મુંબઇ જવા નીકળી અને હાલ તે મુંબઇ પહોંચી ગઇ છે.
કંગના રનૌત પહોંચી મુંબઇ ઍરપોર્ટ
શિવસેનાએ કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ
કરણીસેના કંગનાના સમર્થનમાં આવી
શું છે સમગ્ર ઘટના
શિવસેનાના નેતા સંજય રાઉત દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી કે તે મુંબઇ પાછી ન આવે, પરંતુ કંગનાએ ગર્જીને કહી દીધુ હતુ કે તે મુંબઇ પાછી આવશે, કોઇના બાપમાં દમ હોય તો રોકી લો.
બંને વચ્ચેના આ ટ્વિટર વૉર બાદ બીએમસીએ કંગનાની ઑફિસ પર રેડ પાડી હતી અને તેની ઑફિસનુ ગેરકાયદેસર બાંધકામ તોડી નાંખવા માટેની નોટિસ પણ કંગનાને આપી હતી. કંગના મુંબઇથી બહાર હતી તેમ છતાં તેની ઑફિસ પર લોકો આવ્યા અને ગેરકાયદેસર બાંધકામના નામે તોડફોડ કરી.
આ બાબતને લઇને અભિનેત્રીએ મુંબઇના હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેને રાહત મળી અને બીએમસીની આ કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કાળા વાવટા દ્વારા વિરોધ
કંગના જ્યારે મુંબઇ એરપોર્ટ પર આવી ત્યારે શિવસેનાના લોકોએ એરપોર્ટ બહાર કાળા વાવટા સાથે કંગનાનો વિરોધ કર્યો હતો. સંજય રાઉતે સામનામાં લેખ લખીને કંગનાને ધમકી આપ્યા બાદ હવે તેનો વિરોધ કાળાવાવટા ફરકાવીને કરવામાં આવી રહ્યો છે.
કરણીસેના આવી કંગનાના સમર્થનમાં
એક તરફ શિવસેના કંગનાનો વિરોધ કરી રહી છે તો બીજી તરફ કરણીસેના કંગનાના સમર્થનમાં આવી છે. કરણીસેનાના લોકો કંગનાની ઑફિસની બહાર આવીને સંજય રાઉતના પૂતળા બાળ્યા હતા.
શરદ પવાર કંગનાના સમર્થનમાં
રાજકીય નેતા શરદ પવારે પણ કંગનાને સમર્થન આપ્યુ છે અને શિવસેનાની આ હરકત પર કહ્યું કે, મુંબઇમાં બીજા ઘણા ગેરકાયદેસર બાંધકામ છે. માત્ર કંગનાની ઑફિસને શા કારણે ટાર્ગેટ કરવામાં આવી રહી છે.