ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે ગયા સપ્તાહમાં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થસ્થાન દ્વારકા અને સોમનાથ મંદિરની મુલાકાત લઇ દર્શન અને પૂજાપાઠ કાર્ય હતા. કંગના રનૌત તો જતી રહી પણ વિવાદ છેડતી ગઈ ગઈ છે. વિવાદ એવો ઉભો થયો છે કે કંગના રનૌતને દ્વારકા અને સોમનાથ મંદિરની મુલાકાત વખતે દર્શન અને પૂજા વખતે કોઈ વીવીઆઈપી હોય તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવી હતી.
કંગનાનો તસવીર વિવાદ
મંદિરના સત્તાવાર ફોટોગ્રાફરે લીધી તસવીરો
કંગના રનૌતના ફોટાને લઇ છંછેડાયો વિવાદ
જેમ વીઆઈપીના દર્શનના ફોટા શેર કરતા હોય છે તેમ કંગના રનૌતના ફોટા પણ શેર કરાયા હતા. સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરાયું હતું. ભાવિકોમાં એવો સવાલ ચર્ચાય રહ્યો છે કે કંગના રનૌત વીઆઈપી કેટેગરીની મુલાકાતી હતી ? જો આવું જ હોય તો ફિલ્મ કલાકારોનો મુંબઈથી આવનારનો રાફડો ફાટશે અને શું દરેક ને આવી સુવિધા મળશે ? દ્વારકા અને સોમનાથ મંદિર ટ્રસ્ટ કોને વીઆઈપી કેટેગરી ના દર્શનાર્થી ગણે છે ? એ પણ એક સવાલ છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા VIP માટે કરવામાં આવે છે અલગ વ્યવસ્થા
VTV વેબ દ્વારા દ્વારકા અને સોમનાથ મંદિરના પ્રોટોકોલ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે આ મુદ્દે વાત કરવામાં આવી હતી. દ્વારકા મંદિરની મુલાકાતે જ્યારે કોઈ મંત્રી, મુખ્યમંત્રી, કોઈ અન્ય રાજ્યના રાજયપાલ, મંત્રી કે ઉચ્ચ અધિકારી, કેન્દ્રીય મંત્રીઓ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ જેવા મહાનુભાવો આવતા હોય તેમનો ઓફિસિયલ પ્રવાસ કાર્યક્રમ મંદિર ટ્રસ્ટને મળતો હોય છે તે મુજબ તેના દર્શન અને પૂજાની વ્યવસ્થા કરવામાં આવે છે.
ફિલ્મ કલાકારોને મળતી VVIP સુવિધા સામે ઉભા થયાં સવાલ
આ ઉપરાંત જેમને સરકારે સિક્યુરિટી આપેલી છે તેમને લાઈનમાં ઉભા રહીને દર્શન કરવા ન પડે તેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સરકારી મહેમાનોને વીઆઈપી કેટેગરી ગણવામાં આવે તેનો વિરોધ થતો નથી હોતો પણ સામાન્ય ફિલ્મ કલાકારોને પણ દર્શન-પૂજા વીઆઈપી ટ્રીટમેન્ટ મળે તો સવાલ ઉભા થાય છે. જો આવું થતું રહેશે તો મુંબઈથી ઢગલાબંધ ફિલ્મ કલાકારો આવશે શું તેમને પણ દ્વારકા અને સોમનાથ માં વીઆઈપી દર્શન નો લાભ મળશે ?
મંદિરના સત્તાવાર ફોટોગ્રાફરે લીધી કંગનાની તસવીર
દ્વારકા જિલ્લાના એક ઉચ્ચ અધિકારી કે જે મંદિરની પ્રોટોકોલની વ્યવસ્થા સાથે જોડાયેલા છે તેમનું કહેવું છે કે કંગના રનૌતને મોબાઈલ મંદિરમાં લઇ જવાની છૂટ આપવામાં નહોતી આવી. તેમના દર્શનના ફોટા મંદિરના સત્તાવાર ફોટોગ્રાફરે જ લીધા છે.
વાત સોમનાથની કરીએ તો મંદિરની વેબ સાઈટ પર અનેક સૂચનાઓ અને દર્શન-આરતી, આવાસ અને દાનને લગતી માહિતી આપવામાં આવી છે પણ મંદિર ટ્રસ્ટ કોને વીઆઈપી ગણે છે તેની કોઈ જાણકારી અપાઈ નથી. તા. 14 સપ્ટેમ્બરે કંગના રનૌતે સોમનાથ ની મુલાકાત લીધી હતી. દ્વારકા પછી તે સોમનાથ આવ્યા હતા. દ્વારકા અને સોમનાથ મંદિરના અધિકારીઓએ અંગે કોઈ સ્પષ્ટતા કરી શક્યા ના હતા કે ફિલ્મ કલાકારોને વીઆઈપી ગણવામાં આવે છે કે નહીં ? જો કે અધિકારીઓએ એટલું માન્યું હતું કે દરેક ફિલ્મ કલાકારોને વીઆઈપી કેટેગરી ગણવી ના જોઈએ.