કંગના રનૌત 30 એપ્રિલે હરિદ્વાર ગઈ હતી અને ત્યાં ગંગા આરતી કર્યા બાદ કંગનાએ મીડિયા સાથે વાતચિત દરમિયાન સલમાન ખાનની સુરક્ષા પર પોતાનો અભિપ્રાય અપાયો હતો.
કંગના રનૌતે સલમાનને મળતી ધમકી અને સુરક્ષા વિશે વાત કરી
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને આવી સ્થિતિમાં મુંબઈ પોલીસ દ્વારા તેમને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ સાથે જ સલમાન ખાન વ્યક્તિગત સ્તરે પણ સાવચેતી રાખી રહ્યો છે. એવું જોવા મળ્યું છે કે સલમાન જ્યાં પણ જાય છે તેની સાથે ભારે સુરક્ષા જોવા મળે છે. આ સાથે જ થોડા દિવસ પહેલા જ એક શોમાં સલમાન ખાને ત્યાં સુધી કહ્યું હતું કે તે તેની આસપાસ આટલી બંદૂકો જોઈને તે પોતે ડરી ગયો છે.' આ બધા વચ્ચે હવે કંગના રનૌતને સલમાન ખાનને મળતી ધમકી અને સુરક્ષા વિશે પૂછવામાં આવ્યું હતું અને તેને આ વિશે પ્રતિક્રિયા પણ આપી છે.
જણાવી દઈએ કે કંગના રનૌત 30 એપ્રિલે હરિદ્વાર ગઈ હતી અને ત્યાં ગંગા આરતી કર્યા બાદ કંગનાએ મીડિયા સાથે વાતચિત કરી હતી. આ દરમિયાન કંગનાને સલમાન ખાનની સુરક્ષા પર પોતાનો અભિપ્રાય આપવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારે તેને કહ્યું હતું કે, 'આપણા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી મોટા દિગ્ગજ છે. સલમાન ખાનને જે સિક્યોરિટી મળી છે તે જરૂર સેન્ટ્રલ તરફથી મળી હશે.'
ચિંતા કરવા જેવું કંઈ નથી - કંગના
આ વિશે વાત કરતાં કંગના રનૌતે કહ્યું હતું કે'જેને નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે, જેમને કેન્દ્ર તરફથી સુરક્ષા મળી છે તો અમને પણ ખાતરી છે કે તેમની સારી રીતે કાળજી લેવામાં આવશે. જ્યારે મને પણ ધમકી આપવામાં આવી ત્યારે મને સુરક્ષા પણ મળી. એટલે જ હું કહું છું કે જ્યારે દેશ સારા હાથમાં છે ત્યારે આપણે ચિંતા શા માટે કરવી જોઈએ. આપણે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી.'
સલમાન ખાને કહી હતી આ વાત
જણાવી દઈએ કે સલમાન ખાને એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'હું સંપૂર્ણ સુરક્ષા સાથે દરેક જગ્યાએ જઈ રહ્યો છું. હું અહીં છું તો કોઈ વસ્તુની જરૂર નથી. દુબઈમાં સંપૂર્ણ સુરક્ષા છે. ભારતની અંદર થોડી સમસ્યા છે. જોકે જે થવાનું છે તે થશે. ભગવાન પર વિશ્વાસ કરો કે તેઓ છે પણ તેનો અર્થ એ નથી કે હું બહાર જઈને ડર્યા વિના ફરવાનું શરૂ કરી દઉં. મારી આસપાસ ઘણા શેરા છે. મારી આસપાસ એટલી બધી બંદૂકો છે કે હું આજકાલ ડરી ગયો છું.'