દેશમાં અનામતનો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. આ એક મુદ્દા પર સરકાર બને છે અને પડે છે. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે અનામત આપવાનો આધાર શું હોવો જોઈએ. શું જાતિના આધારે અનામત આપવું જોઈએ કે વ્યક્તિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આપવું જોઈએ? ત્યારે હવે આ મહત્વપૂર્ણ મુદ્દા પર કંગના રનૌતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
કંગનાએ સોશિયલ મીડિયા પર એક ટ્વિટમાં સ્પષ્ટ કહ્યું છે કે, હમેશાં ગરીબીના આધારે અનામત મળવું જોઈએ. કંગના મુજબ જાતિના આધારે અનામત આપવું યોગ્ય નથી. તે લખે છે કે, અનામત હંમેશા ગરીબીના આધારે આપવું જોઈએ. હું જાણું છું કે રાજપૂત સમુદાય ઘણી મુશ્કેલીમાં છે, પણ બ્રાહ્મણોની સ્થિતિ જોઈને પણ ખૂબ જ દુઃખ થાય છે.
Reservations should be for the poor not based on cast system... I know how Rajputs are suffering but very sad to read about Brahmins ... https://t.co/0Ds25qLiL0
હવે કંગનાએ પોતાના ટ્વિટમાં બે મોટી વાત કહી છે. એક તરફ તેણે ગરીબીના આધારે અનામત આપવાને સમર્થન આપ્યું છે, તો બીજી તરફ તેણે બ્રાહ્મણોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પોતાના ટ્વિટમાં કંગનાએ બ્રાહ્મણોનો ઉલ્લેખ કર્યો છે કારણ કે યુઝરે પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, 55 ટકા બ્રાહ્મણો એવા છે જેઓ ગરીબી રેખા નીચે છે. કંગનાએ અગાઉ પણ આરક્ષણ અંગે નિવેદનો આપ્યા છે અને દરેક વખતે તેના નિવેદનોથી બબાલ થઈ છે. આ વખતે પણ સોશિયલ મીડિયા ઘણાં કંગનાના મંતવ્યોથી સંમત દેખાય તો ઘણાં એવા છે જેમને કંગનાની આ વાત ગમી નથી.
કંગના પર FIR
ઉલ્લેખનીય છે કે, અત્યારે કંગના પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેની સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે, મુંબઈ પોલીસ સાથે કંગનાની લાંબા સમયથી બબાલ ચાલી રહી છે. રંગોલી અને કંગના બંનેને આવતા અઠવાડિયે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.