તે બોલીવૂડ અને રાજકીય મુદ્દાઓ પર નીડર થઇને પોતાના મંતવ્યો રજૂ કરે છે. સાથે અભિનેત્રીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધ્યું છે.
એક ટ્વિટર યુઝરે કંગના રાનૌતનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, 'આજે મારું ઘર તૂટ્યુ છે, કાલે તારું ઘમંડ તૂટી જશે, આ સમયનું ચક્ર છે, યાદ રાખજે કે હંમેશા પરિસ્થિતિ સરખી હોતી નથી.' કંગના રાનૌતે તેને રિટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, "જે સાધુઓની હત્યા અને સ્ત્રીનું અપમાન કરે છે તેમનુ પતન નિશ્ચિત છે, આ તો માત્ર શરૂઆત છે, આગળ જુઓ શું થાય છે?" આ સાથે અભિનેત્રીએ હેશટેગ સાથે અનિલ દેશમુખ અને ઉદ્ધવ ઠાકરેના નામ લખ્યા છે.
બોમ્બે હાઈકોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે. ત્યારે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતી વખતે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે.
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2020માં BMCએ કંગના રાનૌતની ઓફિસમાં તોડફોડ કરી હતી. બાદમાં કંગના રાનૌતે એક વીડિયો દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આ કામગીરી પર આકરી પ્રતિક્રિયા આપી.
રામ ગોપાલ વર્માએ કરી ટ્વીટ
રામ ગોપાલ વર્માએ ટ્વિટ કરીને લખ્યુ કે, કંગના...હું કેટલીક વાતોમાં અને કંઇક અતિશયોક્તિ પર તમારી સાથે અસહમત થઇ શકુ છુ પરંતુ હુ તમને સલામ કરુ છુ. સુપર ડુપર થલાઇવી માટે... ફિલ્મનું ટ્રેલર શાનદાર છે અને હું કહી શકુ છુ કે સ્વર્ગમાં જયલલિતા પણ આ ટ્રેલર જોઇને રોમાંચિત થઇ ગયા હશે.
Well @KanganaTeam ,anyone with strong opinions is bound to provoke extreme reactions ..I must confess I felt urs a tall claim when u compared with Hollywood greats,but I now apologise and agree 100% that no other actress in the world has ever had ur versatility 💪💐👏 https://t.co/MqGCLHePJK
કંગના જે મજબૂત ઓપિનીયન રાખે છે તેને ખરાબ પ્રતિક્રિયાનો સામનો પણ કરવો પડે છે. હું તે સ્વિકાર કરવા માંગુ છુ કે મેં ત્યારે થોડુ વધારે જ બોલી દીધુ હતુ જ્યારે તમે હોલીવૂડની મહાન હસ્તીઓ સાથે પોતાની તુલના કરી હતી પરંતુ હવે હું તમારી માફી માંગુ છુ અને તે વાતથી સહમત થાઉ છુ કે આ દુનિયામાં તમારા જેવી બહુમુખી પ્રતિભાવાળી એક્ટ્રેસ નથી.
કંગનાએ આપ્યો જવાબ
રામ ગોપાલ વર્માની વાત પર કંગનાએ લખ્યું કે, સર...હું તમારી વાતથી સહમત છું. મને તમે ખુબ પસંદ છો અને હું તમારી હંમેશાથી પ્રશંસા કરતી આવી છુ. અહંકારથી ભરેલી આ મૃત દુનિયામાં જ્યા લોકોનો ઇગો અને પ્રાઇડ બહુ જ જલ્દી ઘાયલ થઇ જાય છે ત્યાકે તમે કોઇ વાતને ગંભીરતાથી નથી લેતા. તમે તમારી જાતને પણ ગંભીરતાથી નથી લેતા. તમારી આ ખૂબીની હું પ્રશંસા કરુ છુ. મારી પ્રશંસા કરવા માટે ધન્યવાદ.