એક્ટ્રેસ કંગના રનૌત તેના નિવેદનો માટે ખુબ જાણીતી છે તેણે હાલમાં જ અભિનેતા અક્ષય કુમારને લઇને ટિપ્પણી કરી છે.
કંગનાનુ વધુ એક નિવેદન
અક્ષય કુમાર કરે છે સિક્રેટ કોલ
મૂવી માફીયાનો છે આતંક
કંગનાએ મૂવી માફિયાના આતંક પર નિશાન સાધ્યુ છે અને તેણે કહ્યું કે મોટા મોટા સ્ટાર મૂવી માફીયાના આતંકના કારણે મને સિક્રેટ કોલ કરે છે. પોતાની પોસ્ટમાં તેણે અક્ષય કુમારનું પણ નામ લીધુ હતુ. આ ટ્વિટ સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ થયુ હતુ.
કંગના રનૌતે આ ટ્વિટ ત્યારે કર્યુ હતુ જ્યારે સ્ક્રીન રાઇટર અનિરુદ્ધ ગુહાએ એક ટ્વિટ કર્યુ હતુ. અનિરુદ્ધે ટ્વિટર પર ટ્વિટ કરી અને લખ્યું કે કંગના એક અસાધારણ, પેઢીમાં એકવાર આવનાર એક્ટ્રેસ છે.
Bollywood is so hostile that even to praise me can get people in trouble,I have got many secret calls and messages even from big stars like @akshaykumar they praised @Thalaivithefilm trailer to sky but unlike Alia and Deepika films they can’t openly praise it. Movie mafia terror. https://t.co/MT91TvnbmR
આ ટ્વિટના કારણે કંગનાએ લખ્યું કે, બોલીવૂડ આટલુ શત્રુતાપૂર્ણ છે કે અહી મારી પ્રશંસા કરવી પણ લોકોને મુશ્કેલીમાં નાંખી શકે છે. મને ઘણા સિક્રેટ કોલ અને મેસેજ આવે છે. અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ પણ સિક્રેટ કોલ કરે છે. તેમણે ફિલ્મ થલાઇવીની ખુબ પ્રશંસા કરી હતી પરંતુ આલિયા અને દીપિકાની ફિલ્મોની જેમ ખુલીને પ્રશંસા નથી કરી શકતા. મૂવી માફીયાનો આતંક
અનિલ દેશમુખ પર નિવેદન
એક ટ્વિટર યુઝરે કંગના રાનૌતનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, 'આજે મારું ઘર તૂટ્યુ છે, કાલે તારું ઘમંડ તૂટી જશે, આ સમયનું ચક્ર છે, યાદ રાખજે કે હંમેશા પરિસ્થિતિ સરખી હોતી નથી.' કંગના રાનૌતે તેને રિટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, "જે સાધુઓની હત્યા અને સ્ત્રીનું અપમાન કરે છે તેમનુ પતન નિશ્ચિત છે, આ તો માત્ર શરૂઆત છે, આગળ જુઓ શું થાય છે?" આ સાથે અભિનેત્રીએ હેશટેગ સાથે અનિલ દેશમુખ અને ઉદ્ધવ ઠાકરેના નામ લખ્યા છે.
બોમ્બે હાઈકોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે. ત્યારે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતી વખતે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે.