સુશાંત સિંહ રાજપૂત કેસમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે હાલમાં જ મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ પ્રતિક્રિય આપતા કહ્યું કે આ કેસમાં સડકછાપ પોલિટીક્સ થઇ રહ્યું છે પરંતુ તે ધેર્યની સાથે કામ લઇ રહ્યાં છે. તેમના અને તેમના પરિવાર પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. આ કેસમાં કંગના રનૌતે આદિત્ય ઠાકરે પર નિશાનો સાધ્યો છે.
કંગનાએ છેડ્યો વિવાદ
આદિત્ય ઠાકરેને લીધો આડેહાથ
સુશાંત સિંહ કેસ વધુ ગરમાયો
Ha ha look who is talking about dirty politics, how your father got CM seat is a case study of dirty politics sir... forget all that ask your father to answer few questions related to SSR death ..
1) Where is Rhea? ...(1/4) https://t.co/lM3gicTZfR
કંગનાની ટીમે તેના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યુ કે, જુઓ ડર્ટી પોલિટીક્સની વાત કોણ કરી રહ્યું છે, તમારા પિતાને મુખ્યમંત્રીની સીટ કેવી રીતે મળી તે પણ ડર્ટી પોલિટીક્સ કેસ સ્ટડી છે. તમારા પિતાને સુશાંત કેસમાં કેટલાક સવાલ પૂછો પહેલો સવાલ કે રિયા ચક્રવર્તી ક્યાં છે
2) Why @MumbaiPolice didn’t take FIR on SSR’s unnatural death?
3) When a complaint was made about SSR’s life being in danger in the month of Feb, why @MumbaiPolice called it a suicide on day one? ..(2/4)
કંગનાની ટીમે બીજી ટ્વીટમાં લખ્યું કે, મુંબઇ પોલિસે સુશાંતના નિધનને લઇને FIR કેમ રજીસ્ટર નહોતી કરી, ફેબ્રુઆરીમાં સુશાંતના પિતાએ ફરિયાદ કરી હતી તો પોલિસ એક જ દિવસમાં કેમ આત્મહત્યા ઘોષિત કરવામાં લાાગી છે.
4) Why don’t we have forensic experts or SSR phone data who all called and spoke to him during the week of his murder?
5) Why IPS Vinay Tiwari is locked up in the name of quarantine?
6) Why being fearful of CBI?
7) Why Rhea and her family looted Sushant money? ..(3/4)
ચોથા સવાલ કરવામાં આવ્યો કે આપણી પાસે ફોરેન્સિક એક્સપર્ટ કે સુશાંતના ફોનનો ડેટા કેમ નથી જેનાથી ખબર પડે કે એક અઠવાડિયામાં સુશાંતે કોની સાથે વાત કરી હતી. છઠ્ઠો સવાલ બિહાર આઇપીએસને ક્વોરંટાઇનના નામ પર લોક કરીને કેમ રાખવામાં આવ્યા છે. રિયા અને તેના પરિવારે સુશાંતના પૈસા કેમ લૂંટ્યા, તમે સીબીઆઇ તપાસથી કેમ ડરો છો
These questions have nothing to do with politics please answer these...(4/4)
છેલ્લી ટ્વિટમાં લખ્યુ હતું કે, આ સવાલોનુ પોલિટીક્સ સાથે કંઇ જ લેવા દેવા નથી, આ સવાલોના જવાબ આપો. આ પહેલા ભાજપના નેતા નારાયણ રાણેએ પણ કહ્યું હતું કે સુશાંતની મોત આત્મહત્યા નહી પરંતુ મર્ડર છે.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ એટલો બધો ગૂંચવાઇ ગયો છે કે ફેન્સ અને ફેમિલિ પણ કનફ્યૂઝ થઇ ગયા છે શું સત્ય છે અને શું નહી. તમને જણાવી દઇએ કે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે તેમના મુંબઇના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી પરંતુ તેનો પરિવાર અને ઘણા નજીકના લોકો માની નથી રહ્યાં કે તેમણે આત્મહત્યા કરી હશે તેના માટે તપાસ ચાલી રહી છે.