બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વિરૂદ્ધ BMCએ કરેલી કાર્યવાહી બદલ ભારતીય જનતા પાર્ટીની સાથે NCPએ પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે. એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે, BMCની કાર્યવાહી અનાવશ્યક રૂપે કંગનાને બોલવાનો અવસર આપે છે. મુંબઇમાં કેટલાય ગેરકાયદે ઇમારતો છે. ત્યારે અધિકારીઓ તેના અંગે કેમ કાંઇ નિર્ણય નથી લેવાતો.
બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ઓફિસ તોડી પડાઇ
NCP ચીફ શરદ પવારે આપ્યું નિવેદન
NCP ચીફ શરદ પવારે કહ્યું કે દરેક જાણે છે કે મુંબઈ પોલીસ સુરક્ષા માટે કામ કરે છે તમારે આ લોકો માટે પ્રચાર ન કરવો જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર છે અને બીએમસી પર શિવસેનાનો કબજો છે.
મુંબઇ પોલિસ પર કંગનાએ અવિશ્વાસ દાખવ્યો
કંગનાની મુશ્કેલીઓ ત્યારે વધી જ્યારે તેણે મુંબઇ પોલિસ પર અવિશ્વાસ દાખવ્યો અને શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત વિરુદ્ધ નિવેદન આપ્યા. તો બીજી તરફ સંજય રાઉતે પણ કંગનાને ધમકી આપી હતી કે તે મુંબઇ પરત ન આવે. જ્યારે કંગનાને આ વાતની જાણ થઇ ત્યારે તેણે કેન્દ્ર સરકારને અરજી કરી અને વાય સિક્યોરીટી મેળવી.
કંગનાની ઑફિસ પર BMC
કંગના જ્યારે મુંબઇમાં હાજર નહોતી ત્યારે મુંબઇ કોર્પોરેશને કંગનાની ઑફિસ પર રેડ પાડી હતી. કંગનાને જ્યારે આવાતની જાણ થઇ ત્યારે તેણે કહ્યું કે તેની પાસે બીએમસીની પરમિશનના દસ્તાવેજ પણ છે જેથી તેની ઓફિસને તે લોકો નહી પાડી શકે.
કંગનાને BMCની નોટિસ
કંગનાને ઉદ્ધવ ઠાકરે સાથે પંગો લેવો અઘરો પડી ગયો છે. બાન્દ્રા વેસ્ટના પાલિ હિલ રોડ પર સ્થિત કંગનાની ઑફિસના ગેરકાયદેસર નિર્માણને ધ્વસ્ત કરવાની તૈયારી કરી લીધી છે. બીએમસીના એક ઑફિસરે જણાવ્યુ કે તેમણે કંગનાને 24 કલાકનો સમય આપ્યો હતો પરંતુ તેમની તરફથી કોઇ પણ પ્રકારનો જવાબ આવ્યો નથી. જેથી અમે આ પગલુ લેવા જઇ રહ્યાં છીએ.