સુશાંત સિંહ રાજપૂત મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લઈ લીધો અને સુશાંતનો કેસ સીબીઆઈને સોંપી દીધો. એક્ટ્રેસ કંગના રનૌત પણ શરૂઆતથી જ આ કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કંગના ખૂબ જ ખુશ છે.
આ સાથે જ કંગનાની ટીમે ડિપ્રેશનને લઈને પણ એક ટ્વિટ કર્યું, જે બાદ એવી ચર્ચા છે કે કંગનાએ દીપિકા પાદુકોણ પર આ ટ્વિટ દ્વારા પ્રહારો કર્યા છે. કંગનાએ ટ્વિટમાં લખ્યું- મારા પછી પુનરાવર્તન કરો, ડિપ્રશનવો ધંધો ચલાવનારાને પબ્લિકે તેમની ઔકાત દેખાડી દીધી. #CBIforShushant #SushantSingRajput #1stStepToSSRJustice.
ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ ડિપ્રેશનને લઈને ઘણી વોકલ રહી છે. તે હમેશાં ડિપ્રેશનના મુદ્દા પર વાત કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ તે ડિપ્રેશન અને મેન્ટલ હેલ્થને લઈને જાગરૂકતા ફેલાવે છે. જૂન મહિનામાં સુશાંતની મોતના થોડાં દિવસ બાદ દીપિકાએ લખ્યું- મારા પછી પુનરાવર્તન કરો, તમે ડિપ્રેશનથી ભાગી શકતા નથી.
આ સિવાય દીપિકાએ લખ્યું હતું- ડિપ્રેસ ફીલ કરવું દુઃખી થવા સમાન નથી. તમને જણાવી દઈએ કે, દીપિકા માનસિક બીમારીથી પીડિત લોકોની મદદ કરવા માટે Live Love Laugh નામની સંસ્થા ચલાવે છે. દીપિકા હમેશાં ડિપ્રેશનને લઈને તેના સંઘર્ષ વિશે વાત કરતી જોવા મળે છે.