મુંબઈમાં કંગના રણૌત અને શિવસેના વચ્ચે ચાલી રહેલો વિવાદ હજુ શાંત થાય તેમ લાગી રહ્યું નથી ત્યારે આજે કંગના રણૌતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી .
કંગના રણૌત અને ગવર્નર ભગત સિંહ કોશયારી વચ્ચે મિટિંગ
મને આશા છે કે મને ન્યાય મળશે : કંગના રણૌત
બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત રવિવારે મહારાષ્ટ્રનાં ગવર્નર ભગત સિંહ કોશયારી સાથે મિટિંગ કરવા પહોંચી, કંગનાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને પોતાની સાથે થયેલા અન્યાય વિશે વાત કરી.
#WATCH I met Governor Koshyari & told him about unjust treatment I've received. I hope justice will be given to me so that the faith of all citizens including young girls, is restored in the system. I am fortunate that the Governor listened to me like a daughter: Kangana Ranaut pic.twitter.com/aZRohVVUhi
નોંધનીય છે કે ભગત સિંહે પણ બીએમસીએ કરેલ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરેના પ્રમુખ એડવાઈઝર અજોય મેહતાને બોલાવીને નારાજગી વ્યક્ત કરી હતી. આ સિવાય કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મહારાષ્ટ્રના ગવર્નર પાસેથી કંગનાની ઓફીસને ખોટી રીતે પાડવા મુદ્દે વળતરની માંગ કરી હતી.
કંગનાએ મુલાકાત કાર્ય બાદ કહ્યું કે હું ગવર્નર કોશ્યારીને મળી અને મારા સાથે અન્યાય વિશે જણાવ્યું. મને આશા છે કે મને ન્યાય મળશે જેથી તમામ નાગરિકોનો વિશ્વાસ સિસ્ટમમાં પાછો આવે. હું ભાગ્યશાળી છું કે રાજ્યપાલે પુત્રીની જેમ મારી વાત સાંભળી.
નોંધનીય છે કે પાલી હિલ વિસ્તારમાં સ્થિત કંગનાની ઓફીસને બીએમસી ગેરકાયદેસર ગણાવીને તોડી પાડી હતી અને ત્યાં ખૂબ તોડફોડ પણ કરી હતી. જોકે કંગનાને તોડફોડ રોકવા માટે બોમ્બે હાઈકોર્ટ તરફથી સ્ટે મળી ગયો, જોકે તે પહેલા જ બીએમસી ઘણું બધું નુકસાન કરી ચુકી હતી.