એલન મસ્કે પેઈડ બ્લૂ ટિક સર્વિસ ચાલુ કરી છે. હવે ફેસબુકના સીઈઓ માર્ક જુકરબર્ગ તરફથી આ પ્રકારનો જ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે મેટા વેરિફાઈડની જાહેરાત કરી છે, જેના કારણે યૂઝર્સે પૈસા આપીને બ્લૂ ટિક મેળવી શકે છે.
હાલમાં જ એક્ટ્રેસ કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ પરત આવ્યું છે
2021માં કથિત રીતે આપત્તિજનક ટ્વિટના કારણે તેના એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું
કોન્ટ્રોવર્સી ક્વિન કહેવાતી બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાના નિવેદનના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. તે દરેક મુદ્દા બેખોફ થઈ પોતાની વાત રાખે છે. હવે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના સીઈઓ માર્ક જુકરબર્ગને આડે હાથ લીધા છે. ટ્વિટરને ખરીદ્યા બાદ એલન મસ્કે પેઈડ બ્લૂ ટિક સર્વિસ ચાલુ કરી છે. હવે ફેસબુકના સીઈઓ માર્ક જુકરબર્ગ તરફથી આ પ્રકારનો જ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે મેટા વેરિફાઈડની જાહેરાત કરી છે, જેના કારણે યૂઝર્સે પૈસા આપીને બ્લૂ ટિક મેળવી શકે છે. આ સર્વિસ પહેલા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં શરૂ થશે, ત્યારબાદ અન્ય દેશોમાં શરુ કરાશે.
Ha ha @elonmusk fought with the whole world to do this,media criticised him and people threatened to leave twitter, he hasn’t even rolled out all features and his ideas such big hit that and people already hijacked his ideas and copying them, biggest drawback of being a genius.
માર્ક જુકરબર્ગના આ નિર્ણય બાદ એલન મસ્કને કોપી કરવાને લઈ કંગના રનૌત તેના પર ભડકી છે. એક ટ્વિટર યૂઝર્સે માર્કની પોસ્ટ પર રિપ્લેય કરતા તેણીએ લખ્યું કે, માર્ક ગર્વમેન્ટ આઈડીથી વેરિફાઈ કરી રહ્યા છે. કંગનાએ પહેલા આ વસ્તુ કહી હતી. તેનો એક્સરે રિયલ છે. તે હંમેશા આગળ હોય છે. યૂઝર્સના આ પોસ્ટ પર રિએક્ટ કરતા કંગનાએ માર્ક જુકરબર્ગ પર કટાક્ષ કર્યો છે. તેણે લખ્યું, એલન મસ્કએ આવુ કરવા માટે પૂરી દુનિયા સામે સંઘર્ષ કર્યો છે. મીડિયાએ પણ તેની ટીકા કરી અને લોકોએ ટ્વિટર છોડવાની ધમકી આપી. તેમણે બધી સર્વિસને રોલ આઉટ પણ ન કરી અને તેમના વિચાર એટલા મોટો હિટ છે કે લોકોએ પહેલા જ તેમના વિચારોને હાઈજેક કરી લિધા અને તેને કોપી કરી લીધા.
હાલમાં જ પરત આવ્યું કંગનાનું ટ્વિટર એકાઉન્ટ
હાલમાં જ એક્ટ્રેસ કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ પરત આવ્યું છે. વર્ષ 2021માં કથિત રીતે આપત્તિજનક ટ્વિટના કારણે તેના એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. 24 જાન્યુઆરીએ તેનું એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું હતું. એક્ટ્રેસ કંગના રનૌતના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે પોતાની આગામી ફિલ્મ ચંદ્રમુખીના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યારે તે ફિલ્મ ઈમરજન્સીને લઈને પણ ચર્ચામાં છે. જે 20 ઓક્ટોબરના રિલીઝ થવાની છે.