બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત મુંબઈથી મનાલી જઈ રહી છે. બહેન રંગોલી પણ કંગનાની સાથે છે. મુંબઈ એરપોર્ટ પર કંગના માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કંગના થોડીવારમાં મનાલીની ફ્લાઈટ પકડશે. એરપોર્ટ પર 45-50 સીઆઈએસએફના જવાનો કંગનાની સુરક્ષા માટે તહેનાત જોવા મળ્યા હતા.
કંગના રનૌત મનાલી માટે રવાના થઈ
કંગના Y સિક્યુરિટી અને મુંબઈ પોલીસની સુરક્ષા વચ્ચે મુંબઇથી મનાલી જવા રવાના થઈ ગઈ. આ દરમિયાન ઘરેથી મુંબઈ એરપોર્ટ જતા રસ્તા પર કોઈ પ્રદર્શનકારીઓ અને સમર્થકો દેખાયા ન હતા. તમને જણાવી દઈએ કે, કંગનાએ BMCને જણાવ્યું હતું કે થોડાં સમય માટે મુંબઈ આવી છે. જેથી બીએમસીએ તેને હોમ ક્વોરન્ટાઈનમાં છૂટ આપી હતી. કંગના 9 સપ્ટેમ્બરે મુંબઈ પહોંચી હતી.
With a heavy heart leaving Mumbai, the way I was terrorised all these days constant attacks and abuses hurled at me attempts to break my house after my work place, alert security with lethal weapons around me, must say my analogy about POK was bang on. https://t.co/VXYUNM1UDF
ઉલ્લેખનીય છે કે, શિવસેના સાથેના વિવાદ વચ્ચે કંગના મુંબઈ પહોંચી હતી. કંગનાએ શિવસેના અને મુંબઈ પોલીસ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેનાથી પાર્ટી ઉશ્કેરાઈ ગઈ હતી. જેના જવાબમાં શિવસેનાએ કંગનાની મુંબઈ ઓફિસને ગેરકાયદેસર બાંધકામનો હવાલો આપીને બુલડોઝર ચલાવ્યું હતું. કંગના મુંબઇ પહોંચવા જઇ રહી હતી તે જ દિવસે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
A short while ago I met His Excellency the Governor of Maharashtra Shri Bhagat Singh Koshyari Ji. I explained my point of view to him and also requested that justice be given to me it will restore faith of common citizen and particularly daughters in the system. pic.twitter.com/oCNByhvNOT
ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટે કંગનાની ઓફિસમાં તોડફોડ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બીએમસી દ્વારા કંગનાની ઓફિસ પર કરવામાં આવેલી આ કાર્યવાહી અંગે હવે આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે કોર્ટમાં થશે. કંગના રવિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળી હતી. આ દરમિયાન કંગનાએ તેની ઓફિસમાં કરવામાં આવેલી કાર્યવાહી સામે ન્યાયની વિનંતી કરી.