કોર્ટે કંગના રનોતને જાવેદ અખ્તર માનહાનિ કેસમાં 4 જુલાઈએ હાજર થવા માટે આદેશ કર્યો છે. જો કંગના આ દિવસે મુંબઈ કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો તેની સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવશે.
કોર્ટે કંગના રનોતને કોર્ટમાં હાજર થવા માટે કર્યો આદેશ
જાવેદ અખ્તરે કંગનાની સામે માનહાનિનો કેસ કર્યો છે દાખલ
આની પહેલાની સુનાવણીમાં કંગના રહી હતી ગેરહાજર
કંગના રનોતને 4 જુલાઈએ કોર્ટમાં હાજર થવા ફરમાન
4 જુલાઈએ મુંબઈ કોર્ટે ફિલ્મ અભિનેત્રી કંગના રનોતને ગીતકાર જાવેદ અખ્તરના માનહાનિના કેસ સંદર્ભે હાજર થવા માટે આદેશ આપ્યો છે. ખરેખર તેની પહેલા કંગનાને 27 જુલાઈએ મુંબઈ કોર્ટ સમક્ષ હાજર થવાનુ હતુ. પરંતુ તે દિવસે તે હાજર રહી નહોતી. તેથી જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે કોર્ટને કહ્યું કે કંગનાને ઘણી વખત ગેરહાજર રહી છે. તેથી તેની સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવે.
જાવેદ અખ્તરે કર્યો હતો માનહાનિનો કેસ
જેના પર કંગનાના વકીલનુ કહેવુ છે કે તે આ વખતે 4 જુલાઈએ મુંબઈ કોર્ટમાં જરૂર આવશે. વર્ષ 2020માં અભિનેત્રી કંગના રનોતે ગીતકાર જાવેદ અખ્તરને લઇને વિવાદીત નિવેદન આપ્યું હતુ. જેનાથી નારાજ થઇ જાવેદ અખ્તરે કંગનાની પર તેની છબિ બગાડવા અને તેની પ્રતિષ્ઠાને ધૂળમાં મિલાવવાનો આરોપ લગાવ્યો અને કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ અંધેરીની મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી શરુ થઇ. ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું કે વર્ષ 2020માં સુશાંત સિંહના મોત બાદ કંગનાએ બળજબરી તેમનુ નામ કોઈ 'ગ્રુપ' સાથે જોડી દીધુ હતુ.