લોક અપના નવા એપિસોડમાં કંગના રનૌતે ખુલાસો કર્યો કે તે ઘરેથી ભાગવા માંગતી હતી અને તેના માટે તેણે તેની બેગ પેક કરી હતી.
કંગનાએ રિયાલિટી શોમાં કર્યા ખુલાસા
8 વર્ષની ઉંમરમાં છોડવા માંગતી હતી ઘર
પેક કરી લીધા હતા બેગ અને...
કંગનાએ રિયાલિટી શો લોકઅપના એક એપિસોડમાં પોતાના અનુભવને યાદ કર્યો. કંગનાએ ખુલાસો કર્યો કે તે ઘરેથી ભાગવા માંગતી હતી અને તેના માટે તેણે તેની બેગ પેક કરી હતી. જ્યારે કંટેસ્ટન્ટ અંજલિ અરોરાએ જાહેર કર્યું કે તેણી જ્યારે 11માં ધોરણમાં હતી ત્યારે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અંજલિએ એક ઘટના શેર કરી કે કેવી રીતે તેણીએ એકવાર તેના ક્લાસમેટ્સ સાથે મજા કરવા માટે ટ્યુશન છોડી દીધું હતું. જોકે, તેના ભાઈને ખબર પડી અને બધાની સામે તેને થપ્પડ મારી દીધી હતો. જે બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
કરવા માંગતી હતી આત્મહત્યા
અંજલિએ કહ્યું, "હું રડવા લાગી અને તેને મારા પપ્પાને ન કહેવાની વિનંતી કરી. પરંતુ તેણે કહી દીધુ, અને તેણે મને ખૂબ ઠપકો આપ્યો. પાપાએ પણ મને થપ્પડ માર્યો અને મને એક રૂમમાં બંધ કરી દીધી અને મને કહ્યું કે હવે મારે ઘરની બહાર ન નિકળવું જોઈએ.
પછી મેં ફિનાઈલ પીધું અને દરવાજો બંધ કરી દીધો. મારા ભાઈએ દરવાજો તોડ્યો. કંગનાએ તેને અંજલિને ત્યાં જ અટકાવી દીધી તેણે જણાવ્યું કે અંજલી સમાજને એક ખોટો સંદેશ આપી રહી હતી અને કહ્યું કે તે લકી છે કે તે બચી ગઈ.
કંગનાએ પણ કર્યો ખુલાસો
કંગનાએ જણાવ્યું, "હું એ અનુભવને શેર કરવા માંગુ છું જેના વિશે તમે વાત કરી રહ્યા છો. ભારતમાં આ સંસ્કૃતિ છે. હું ત્યાં જ મોટી થઈ છુ અને મને તેના વિશે જાણકારી છે." કંગનાએ ઉલ્લેખ કર્યો કે તે પોતાના કાકાના ભાઈઓ સાથે એટલે ઝગડી કારણ કે તે આવીને તેના માતા પિતાને જણાવી દેતા હતા કે તે ક્યાં ગઈ હતી. અને કોની સાથે ગઈ હતી. તેણે આગળ કહ્યું, "મારા કાકાના ભાઈઓ બીજી કોલેજમી પાસે ઉભા રહીને બીજી યુવતીઓને જોતા હતા અને તેમનો પીછો કરતા હતા. પરંતુ જો તેમની કોલેજના યુવકો અમારી કોલેજની પાસે આવતા હતા તો અમને માર મારવામાં આવતો. પરંતુ એમ વિચારવું કે તમારા પિતા ભાઈ અને માતાએ તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોના કારણે પોતાની રીતે ઠીક કર્યા તો આ કહેવું ખોટુ છે. તમે જે કર્યું તે ખોટુ હતું. "
કંગનાએ કહ્યું કે ઘરના આવા વાતાવરણથી બચવા માંગતી હતી. તેણે કહ્યું, "મેં સૌથી પહેલા પોતાની બેગ પેગ કરી અને આઠ વર્ષની ઉંમરમાં પોતાના ઘરેથી ભાગી જવાનું વિચાર્યું. દરેકના મનમાં આવા વિચાર આવે છે પરંતુ કમજોર અને કાયર લોકો જ તેના પર અમલ કરે છે."