આલિયા ભટ્ટ હાલમાં એક એડને લઇને ચર્ચાનો વિષય બનેલી છે. ક્લોધિંગ બ્રાન્ડ માન્યવર મોહેના કારણે લોકો આલિયાને ટ્રોલ કરી રહ્યાં છે. કંગનાએ આલિયા માટે સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખી છે.
આલિયા ભટ્ટ પર ભડકી કંગના રનૌત
ઇન્સ્ટા પર લખી લાંબી પોસ્ટ
કન્યાદાનની મજાક ઉડાવવા પર ભડકી કંગના
આલિયા થઇ રહી છે ટ્રોલ
હાલમાં એક એડ ટીવી પર કાસ્ટ થઇ રહી છે જેના પર કંગનાએ રિએક્શન આપ્યું છે. કંગનાએ લાંબી પોસ્ટ કરીને ગુસ્સે થઇ છે. જણાવી દઇએ કે આ એડમાં પોતાના જ લગ્નમાં દુલ્હનના રુપમાં આલિયા કન્યાદાનની રસમથી ખુશ નથી.
કંગનાએ લખી પોસ્ટ
કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને કહ્યું કે, આપણે સામાન્ય રીતે પિતાના બલિદાનને ટીવી પર જોઇએ છીએ,જ્યારે તે બોર્ડર પર દિકરાને ગુમાવી દે છે. ત્યારે પણ પિતા કહે છે મારો એક બીજો દિકરો છે તેને પણ હું ધરતી માતાને દાનમાં આપી દઇશ. જ્યારે તે દાનના વિચારને નીચુ બતાવવાનું શરૂ કરી દે ત્યારે સમજી લો કે રામરાજ્યના સ્થાપનાનો સમય છે. જે રાજાએ પોતાનું સર્વસ્વ દાન કર્યુ માત્ર એક તપસ્વીનું જીવન જીવવા માટે, પ્લીઝ હિન્દુ રિવાજોની મજાક ઉડાવવાની બંધ કરો.
કંગનાએ પોસ્ટ શૅર કરતાં લખ્યું કે, હિન્દુ ધર્મ ખુબ સંવેદનશીલ અને વૈજ્ઞાનિક છે. વિવાહ દરમિયાન એક મહિલા પોતાના ગોત્ર અને બ્લડ લાઇન્સને છોડીને બીજા ગોત્રમાં પ્રવેશ કરે છે. ત્યારે તે માત્ર પોતાના પિતાની નહી પરંતુ પૂર્વજોની પણ અનુમતિ લે છે. જે લોહી તેની નસોમાં વહે છે તેના બદલાવ માટે તે અનુમતિ લે છે. મંદબુદ્ધિ લોકોને આ વિજ્ઞાન સમજ નહી આવે. આ પ્રકારની એડને બૅન કરી દેવામાં આવે.
શું છે આ એડમાં
આ વિજ્ઞાપનમાં આલિયા દુલ્હનના રૂપમાં દેખાઇ રહી છે. આલિયા પોતાના પતિની પાછળ લગ્નના મંડપમાં બેઠી છે. તે કહે છે કે તેનો પરિવાર તેને યાદ અપાવતો આવ્યો છે કે એક દિવસ તેના લગ્ન થશે અને તે સાસરે જતી રહેશે. આલિયા કહે છે હું કોઇ દાનમાં આપવાની ચીજ છું? માત્ર કેમ કન્યાદાન? કંગનાની પોસ્ટની લોકો પ્રશંસા કરી રહ્યાં છે એક વ્યક્તિએ તો કહી દીધું કે, તમે એક જ એક્ટ્રેસ છો જે મજબૂતીથી સ્ટેન્ડ લે છે.