અમેરિકન પોપ સ્ટાર રિહાનાએ ટ્વીટ કરીને ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું ત્યારબાદ ઘણી વૈશ્વિક હસ્તીઓએ તેનાં સપોર્ટમાં આવીને ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું જેનાં પર સરકારે કડક પ્રતિક્રિયા આપી. સરકારની આ પ્રતિક્રિયાને બોલિવૂડ કલાકારો અને ક્રિકેટરોનું ખૂબ સમર્થન મળ્યું હતુ.
ખેડૂત આંદોલન પર ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપી
બોલિવૂડ એક્ટ્રેસ કંગનાએ પ્રતિક્રિયા પર બળાપો ઠાલવ્યો
ટ્વીટરે કંગનાની ટ્વીટ ડિલીટ કરી
રોહત પર કંગનાનો બળાપો
સચિન તેન્ડુલકરથી લઈ વિરાટ કોહલી સુધી મોટાભાગનાં બધા ક્રિકેટરોએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યાં હતા. જેમાં ભારતી ક્રિકેટ ટીમનાં ઓપનર રોહિત શર્માએ પણ ટ્વીટ કર્યું જેનાં પર બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે બળાપો ઠાલવ્યો હતો.
ભારતની વૈશ્વિક હસ્તિઓ પર કડક પ્રતિક્રિયા
ભારતે પોપ સિંગર રિહાના અને પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ જેવી વૈશ્વિક હસ્તિઓ દ્વારા ખેડૂત આંદોલનનું સમર્થન કરવા પર કડક પ્રતિક્રિયા આપી છે. બોલિવૂડનાં પણ ઘણાં એક્ટર્સ, ક્રિકેટર અને કેન્દ્રિય મંત્રીઓએ સરકારની પ્રતિક્રિયાનું સમર્થન કર્યું. પૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર, અનિલ કુંબલે અને રવિ શાસ્ત્રીએ ઈન્ડિયા ટુગેધર અને ઈન્ડિયા અગેન્સ્ટ પ્રોપગેન્ડા હેશટેગ સાથે ટ્વીટ કર્યા છે. જેમાં રોહિત શર્માએ પણ ટ્વીટ કર્યું છે.
રોહિતની ખેડૂત આંદોલન પર ટ્વીટ
રોહિત શર્માએ ટ્વીટ કરીને લખ્યુ છે કે, ભારત હંમેશા ત્યારે મજબૂત થયુ છે જ્યારે આપણે સૌ એકજુટ થઈને રહ્યાં છીએ અને સમાધાન લાવવુ સમયની વાત છે. આપણા ખેડૂતો આપણા રાષ્ટ્રની ભલાઈમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને મને ખાતરી છે કે દરેક વ્યક્તિ નિવેડો લાવવા માટે પોતાનો ભાગ અવશ્યથી ભજવશે. રોહિત શર્માનાં આ ટ્વીટ પર કંગના રનૌત ખૂબ ભડકી હતી.
ક્રિકેટરોની સરખામણી ધોબીનાં કુતરા જેવી
રોહિતનાં ટ્વીટનો જવાબ આપતા કંગનાએ દરેક ક્રિકેટરોની સરખામણી ધોબીનાં કુતરા જેવી કરી હતી. જોકે કંગનાનાં આ ટ્વીટને ટ્વીટરે ડિલીટ કરી દીધુ છે. કંગનાએ ટ્વીટ કર્યું હતું કે, સારે ક્રિકેટર્સ ધોબી કા કુત્તા ના ઘર કા ના ઘાટ કા જૈસે ક્યું સાઉન્ડ કર રહે હૈ. ખેડૂત એવા કાયદાની વિરુદ્ધ કેમ હશે જે તેમની ભલાઈ માટે છે. આ આતંકીઓ છે જે ધમાલ કરી રહ્યા છે, કહી દો એટલુ કે ડર લાગે છે.
કોઈપણ દુષ્પ્રચાર ભારતની એકતાને ડગાવી ના શકે
ઉલ્લેખનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયએ આ મામલે કહ્યું કે, અમુક સ્વાર્થી સમૂહ પ્રદર્શનો પર પોતાનો એજન્ડા થોપવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયનાં એક નિવેદનમાં જણાવ્યું છે કે, ખાસ કરીને એવી જાણીતી હસ્તીઓ અને અન્ય લોકો દ્વારા સોશિયલ મીડિયા પર હેશટેગ અને ટીપ્પણીઓને સનસનીખેજ બનાવવાની હરકત સાચી નથી અને બેજવાબદાર છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, કોઈ પણ દુષ્પ્રચાર ભારતની એકતાને ના તો ડગાવી શકે છે અને નાતો દેશને નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરવામાં રોકી શકે છે.