બોલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવતે જાયરા વસીમના બોલીવુડ છોડવાના નિર્ણય પર પોતાનું નિવેદન આપ્યું છે.
સીક્રેટ સુપરસ્ટાર ફેમ ઝાયરા વસીમે બોલીવૂડને અલવિદા કરી દીધું છે. ઝાયરાના આ નિર્ણયે લોકોને ચોંકાવી દીધા છે. બોલીવૂડથી લઈને રાજકીય સેલિબ્રીટીએ ઝાયરના નિર્ણયને લઈને વિવિધ કોમેન્ટ કરી છે, ત્યારે હવે ફિલ્મ અભિનેત્રી કંગના રાણાવતે પણ નિવેદન આપ્યું છે.
કંગના રાણાવતે નિવેદન આપતા કહ્યું કે, તમારે તમારી જીંદગીને સફળ બનાવવી જોઈએ અને જો તમારી જીંદગી પહેલેથી જ સફળ છે તો તમારી આસપાસમાં ઘણા બધા કામકાજ છે. તમારા પરિવાર અને તમારા મિત્રોને મદદ કરો. કાવેરી સૂકાઈ રહી છે અને અહીં પણ કરવાલાયક ખૂબ જ કામ છે. જેથી કામ કરો અને પ્રયાસ કરો. ઉપરાંત પોતાની આસપાસના માહોલને પૂર્ણ કરો. કોઈ પણ ધર્મની જરૂરી મૂળભૂત આવશ્યકતા તમને સશક્ત બનાવવની છે નહીં કે તમને અલગ કરવાની.
જણાવી દઇએ કે દંગલ અને સીક્રેટ સુપર સ્ટાર જેવી ફિલ્મોથી ઓળખ બનાવનારી ઝાયરા વસીમે થોડાક દિવસો પહેલા બોલીવુડ છોડવાનો નિર્ણય કહ્યો હતો. એની પાછળ એનો પોતાના ધર્મનું કારણ જણાવ્યું હતું. એના આ નિર્ણય પર એક્ટ્રેસ રવિના ટંડન, દંગલ ડાયરેક્ટર નિતેશ તિવારી, એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ રિએક્શન આપ્યા હતા.
વર્કફ્રંટની વાત કરીએ તો તાજેતરમાં કંગનાની ફિલ્મ જજમેન્ટલ હે ક્યાનું ટ્રેલર લૉન્ચ થયું છે. આ ઉપરાંત કંગના અશ્વિની અય્યર તિવારીની ફિલ્મ પંગાની પણ તૈયારી કરી રહી છે. એમાં કંગનાએ એક કબડ્ડી પ્લેયરનો રોલ નિભાવ્યો છે.