મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસીને 2 વર્ષ પૂરા થતાં કંગનાએ એક પછી એક ટ્વિટ કરીને તેણે ખુશી વ્યક્ત કરી છે. જણાવી ચોંકાવનારી વાત.
મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસીને 2 વર્ષ પૂરા થયા
કંગના રનૌતે કહ્યું-જે ફિલ્મમાં મારા હાડકાં તૂટ્યા, 20 ટાંકા આવ્યા, એ જ ફિલ્મે ઘણાં રેકોર્ડ પણ તોડ્યા
કંગનાની ટ્વિટ થઈ રહી છે વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌતની ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસીને 2 વર્ષ પૂરા થઈ ગયા છે. કંગના રાનૌતે આ ફિલ્મને બે વર્ષ થવા પર સેલિબ્રેટ કર્યું છે. એક પછી એક ટ્વિટ કરીને તેણે ખુશી વ્યક્ત કરી છે.
કંગનાએ તેના ટ્વિટર હેન્ડલથી એવી તસવીર શેર કરી છે, જેમાં તે ઈજાગ્રસ્ત જોવા મળી રહી છે. તેણે લખ્યું, 'જે ફિલ્મમાં મારા હાડકાં તૂટ્યા, 20 ટાંકા અને 2 ફ્રેક્ચર થયા હતા, એ ફિલ્મે ઘણાં રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી', વીકએન્ડ, ફર્સ્ટ ડે અને મહિલા કેન્દ્રિક ફિલ્મોમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ. તે જાપાનમાં ભારતની સૌથી સફળ ફિલ્મ બની.
The movie which broke my bones, 20 stitches n two fractures also broke many records.
Highest weekend,
Highest single day collection,
Third highest grosser in the long list of blockbuster woman centric films and also most successful Indian film in Japan. #2YearsofManikarnikapic.twitter.com/VeTous29nS
આ ફિલ્મ પિરિયડ ડ્રામા હતી. તે રાણી લક્ષ્મીબાઈના જીવન, શાસન સંભાળવું અને અંગ્રેજો સાથે યુદ્ધ લડનાર રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં કંગના સાથે જીશુ સેનગુપ્તા, અતુલ કુલકર્ણી, મોહમ્મદ જીશાન અયુબ અને અંકિતા લોખંડેએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ફેશન, ક્વીન, તનુ વેડ્સ મનુ, મારી સૌથી વધુ આઇકોનિક ફિલ્મ 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી' ના 2 વર્ષ પૂરા થઈ ગયા છે. મારી સૌથી ફેવરિટ અભિનેત્રી વહિદા રહેમાને મારી પ્રશંસા કરવી મારા માટે ટ્રોફી સમાન છે. ટ્વિટનાં અંતે તેણે રેડ કલરનું હાર્ટ ઇમોજી શેર કર્યું છે. કંગનાએ હાલમાં જ તેની આગામી ફિલ્મની 'મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લિજેન્ડ ઓફ દિદ્દાની જાહેરાત કરી છે. આ ઘોષણા થયા બાદથી તેની ફિલ્મની સાથે 'દિદ્દા' પર પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.
કંગનાએ આ ફિલ્મ વિશે જણાવ્યું કે, 'દિદ્દા' કાશ્મીરની આવી જ શક્તિશાળી રાણી હતી, જેમણે મહમુદ ગઝનવીને બે વાર હરાવ્યો હતો. દિદ્દા અવિભાજિત કાશ્મીરના ઇતિહાસમાં પ્રખ્યાત રાણી તરીકે જાણીતી છે, જેમણે મોગલ આક્રમણ કરનારને સબક શીખવાડ્યું. ખાસ વાત એ છે કે તે એક પગથી અપંગ હતી. તેમ છતાં, દેશ પર હુમલો કરીને સોમનાથ મંદિરને લૂંટનાર ગઝનવી યુદ્ધમાં બે વાર ખરાબ રીતે પરાજિત થયો હતો.