સુશાંત સિંહ રાજપૂતની મોત બાદથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મને લઈને વિવાદ સર્જાયો છે. આના કારણે ઘણાં સેલેબ્સ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે અને આરોપોનો શિકાર થઈ રહ્યાં છે. ત્યારે બેબાક કંગના રનૌત પણ આ મામલે પોતાના નિવેદનો આપી રહી છે. તો હવે હાલમાં જ તેણે એક ટીવી ઈન્ટરવ્યૂમાં તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કર પર નિશાન સાધ્યું છે.
કંગના અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો આપી રહી છે
સુશાંતની મોત બાદથી જ નેપોટિઝ્મને લઈને વિવાદ સર્જાયો છે
આ ઈન્ટરવ્યૂ દરમિયાન તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કરને બી ગ્રેડ એક્ટ્રેસિસ કહી દીધી. કંગનાએ કહ્યું- તાપસી જેવા લોકો તો કહી દેશે કે તેમને નેપોટિઝ્મથી કોઈ પરેશાની નથી, તેમણે કરણ જોહર ખૂબ જ પસંદ છે અને પછી તમારા જેવી બી ગ્રેડ એક્ટ્રેસિસ જે દેખાવમાં પણ સારી છે તો તેમને કામ કેમ નથી મળતું.
Maine suna class 12th n 10th ke result ke baad humaara result bhi aa gaya hai! Humaara grade system ab official hai ? Abhi tak toh number system pe value decide hoti thi na 🤔 #MaLifeMaRulesMaShitMaPot
તાપસીએ ટ્વિટર પર કંગનાનું નામ લીધા વિના તેને સણસણતો જવાબ આપતા લખ્યું- મેં સાભળ્યું કે ક્લાસ 12 અને 10ના રિઝલ્ટ બાદ અમારું પણ રિઝલ્ટ આવી ગયું છે. અમારું ગ્રેડ સિસ્ટમ હવે ઓફિશિયલ છે? અત્યાર સુધી તો નંબર સિસ્ટમ પર વેલ્યૂ ડિસાઈડ થતી હતી ને?
તમને જણાવી દઈએ કે, સુશાંતની મોતને લઈને કંગના રનૌતે બોલિવૂડના મોટા ડિરેક્ટર, પ્રોડ્યૂસર અને એક્ટર પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે, નેપોટિઝ્મને કારણે સુશાંતે આત્મહત્યા કરી લીધી. હાલમાં જ આ આરોપોને લઈને કંગનાએ કહ્યું કે, જો તે આ આરોપો સાબિત ન કરી શકી તો પદ્મશ્રી પરત આપી દઈશ.