કંગના રાનૌત અને સુશાંત સિંહ રાજપૂતે ક્યારેય એક સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી નથી પરંતુ ઘણી એવી બાબતો છે જે તેમને કનેક્ટ કરે છે. આ તથ્યો કે તેઓ નાના શહેરમાંથી આવે છે અને સારા કોન્ટેન્ટ આધારિત ફિલ્મોમાં કામ કરે છે. સુશાંતે કંગના સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મીડિયા દ્વારા તપાસ કરવામાં આવતા સુશાંત દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, "હું કંગના રનૌત સાથે કામ કરવા માંગુ છું કારણ કે તેનામાં ઘણુ પોટેન્શીયલ છે અને તે એક સુંદર કલાકાર છે."
કંગનાએ મુકેશ ભટ્ટને લીધા આડેહાથ
સુશાંતે આત્મહત્યા કરી તેના પર વિશ્વાસ નથી કરી શકતી
ન્યૂ કમર્સનુ ભવિષ્ય મુશ્કેલીમાં
પિંકવિલાએ જ્યારે કંગનાને સંપર્ક કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે, “હું જ્યારે તમારી સાથે વાત કરું છું ત્યારે પણ મારા હાથ ધ્રુજી રહ્યાં છે. આપણે એક વિશાળ સંકટમાંથી પસાર થઈ રહ્યા છીએ, ઘણા ભારતીય સૈનિકોએ સરહદ પર પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમ છતાં હું સુશાંતના અવસાન વિશે વિચારવાનું રોકી શકતી નથી. "
મુકેશ ભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે, સુશાંતને જ્યારે દોઢ વર્ષ પહેલા મળ્યા હતા ત્યારે તેમને કંઇક ખોટુ લાગ્યું હતું. ફિલ્મ નિર્માતાએ એમ પણ કહ્યું હતું કે તેણે જોયું હતું અને સુશાંત ‘પરવીન બાબી વે’તરફ જઈ રહ્યો હતો. પરવીન બાબીને પેરેનોઇડ સ્કિઝોફ્રેનિઆની બિમારી હોવાની અફવા ઉડી હતી.
પિંકવિલા અનુસાર કંગનાએ ખુલાસો કર્યો, “મુકેશ ભટ્ટ હવે દાવો કરી રહ્યા છે કે સુશાંત‘ પરવીન બાબી વે ’નું નેતૃત્વ કરી રહ્યા હતા. પરંતુ તેઓએ પરવીન બાબી સાથે શું કર્યું, બધાને યાદ છે. ” રસપ્રદ વાત એ છે કે, 2006માં કંગનાએ વો લમ્હે નામની એક ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, માનવામાં આવે છે કે તે પરવીન બાબીના જીવન, સ્કિઝોફ્રેનિઆ સાથેની તેની યુદ્ધ અને મહેશ ભટ્ટ સાથેના તેના સંબંધો પર આધારિત છે.
સુશાંત અને મેં ક્યારેય વાતચીત કરી ન હતી પણ અમારા ઘણા નજીકના મિત્રો જેવા સંદિપસિંહ અને કમલ જૈન હતા. ઘણા લોકો એવા હતા જે સુશાંતની ખૂબ નજીક હતા. હકીકતમાં, જ્યારે મને આ સમાચાર મળ્યા, ત્યારે મેં તરત જ કમલજીને ફોન કર્યો અને મેં પૂછ્યું, ‘કમલજી, શું થયું, તમે કંઈપણ જાણો છો?’
હવે મુકેશ ભટ્ટ આ આખી વાતમાં કૂદી રહ્યા છે અને દાવો કરી રહ્યો છે કે સુશાંત પરવીન બાબીની જેમ વર્તન કરી રહ્યો હતો. તે આવુ કહેના છે કોણ? સુશાંત રેન્ક હોલ્ડર હતો; તેમણે પોતાના સપનાને આગળ વધારવા માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મળતી શિષ્યવૃત્તિ પણ છોડી દીધી. આવુ તો તેમના (ભટ્ટ) બાળકો વિચારી પણ ન શકે. આવતી કાલે, જો તેમના બાળકો છત પર લટકી જાય અથવા કોઈક કૂદી જાય ત્યારે તે ટિપ્પણી કરી શકશે કે તે ફક્ત એટલા માટે થયું કારણકે તેઓ પરવીન બાબી જેવુ વર્તન કરતા હતા, તો હું તે જોવા માંગું છું કે તેઓ તેના વિશે કેવું અનુભવે છે. ’