શહીદ ભગત સિંહની 113મી જયંતી પર દિગ્ગજ ગીતકાર અને લેખક જાવેદ અખ્તરના એક ટ્વિટથી સોશિયલ મીડિયા પર ડિબેટ શરૂ થઈ ગઈ છે. હકીકતમાં જાવેદ અખ્તરે ભગત સિંહને લઈ ટ્વિટ કર્યું હતું કે તેઓ એક માર્ક્સવાદી હતા અને તેમણે ‘હું નાસ્તિક કેમ છું?’ નામનો એક લેખ પણ લખ્યો હતો.
જાવેદ અખ્તરે કરી ભગતસિંહ પર ટ્વિટ
કંગના રનૌતે લીધા જાવેદને આડેહાથ
શહીદ ભગત સિંહ માર્ક્સવાદી હતા: જાવેદ
જાવેદ અખ્તરે આ ટ્વિટ કરતાં જ લોકો વચ્ચે તેને લઈ નવી ચર્ચા થવા લાગી છે, તેમાં પોતાનાં નિવેદનોના કારણે ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌત પણ કૂદી પડી અને તેમણે જાવેદ અખ્તરના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતાં તેમને નિશાન પર લીધા છે.
જાવેદ અખ્તરે ટ્વિટ કર્યું કે કેટલાક લોકો ન માત્ર તે તથ્યનો સામનો કરવાનો ઇનકાર કરે છે, પરંતુ તેને બીજાથી પણ છુપાવવા ઈચ્છે છે કે શહીદ ભગત સિંહ એક માર્ક્સવાદી હતા અને તેમણે ‘હું નાસ્તિક કેમ છું?’ શીર્ષકથી એક લેખ પણ લખ્યો હતો. તમે અંદાજ લગાવી શકો છો, કોણ છે આવા લોકો? મને આશ્ચર્ય છે કે જો ભગત સિંહ આજે હોત તો તેમને શું કહીને બોલાવતા હોત?
I also wonder if #BhagatSing was alive would he rebel against the government chosen by his own people by a democratic process or will he support them?Had he seen Bharat Mata cut in pieces based on religions would he still choose to be an atheist or will he wear his Basanti Chola? https://t.co/1ZkMlAbn1J
જાવેદ અખ્તરના ટ્વિટ પર બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે મને પણ આશ્ચર્ય છે કે જો ભગત સિંહ આજે જીવિત હોત તો શું જનતા દ્વારા લોકતંત્રની રીતે ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ બળવાખોર બન્યા હોત? અને આ સિવાય શું તેમણે ધર્મના નામ પર પોતાની ભારતમાતાના ટુકડા થવા દીધા હોત? શું તેમણે આજે પણ નાસ્તિક રહેવાનું પસંદ કર્યું હોત કે પછી બસંતી ચોલા પહેરત? જોકે જાવેદ અખ્તરને અનેક લોકોનો સાથ મળ્યો છે. તેમના સમર્થનમાં એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે લખ્યું, આ કડવું સત્ય છે.
ફિલ્મમેકર પ્રીતિશ નંદીએ પણ જાવેદ અખ્તરને સાથ આપ્યો છે. તેમણે પોતાની પ્રતિક્રિયામાં લખ્યું કે અર્બન નક્સલ. આજે આ શબ્દ ભગત સિંહ માટે ઉપયોગ કરવામાં આવતો હોત. ઉપરાંત અનેક લોકોએ કંગના રનૌતને પણ સાથ આપ્યો છે.