બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને જીવનું જોખમ છે. આ દાવો કંગનાની માતા આશા રનૌતે કર્યો હતો. શુક્રવારે એક ઈન્ટરવ્યૂમાં ખાસ વાતચીતમાં આશા રનૌતે ઉદ્ધવ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, શિવસેના ડરપોક અને કાયર છે. આ સાથે જ આશા રનૌતે કંગનાને વાય કેટેગરી સુરક્ષા આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને જીવનું જોખમ છે
કંગનાની માતા આશા રનૌતે કર્યો દાવો
કંગનાની માતાએ ઉદ્ધવ સરકાર પર કર્યા પ્રહારો
કંગના રનૌતની માતા આશા રનૌતે કહ્યું કે આખું ભારત મારી દીકરીની સાથે છે. આવો અન્યાય કેમ? આ બાળાસાહેબ ઠાકરેની સેના નથી? તેઓ ડરપોક છે, કાયર છે. અમે એ લોકો જેવા વંશવાદી નથી. કંગનાએ છેલ્લા 15 વર્ષથી કમાણી કરી છે. આ કેવા પ્રકારની સરકાર છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર. કોણ તેમનું સમર્થન કરશે.
ઉદ્ધવ સરકાર પર નિશાન સાધતા આશા રનૌતે કહ્યું કે, કંગનાને મુંબઈમાં જીવનું જોખમ છે. આખું ભારત જોઈ શકે છે કે કઈ રીતે બદલો લેવાની ભાવનાથી કામ કરવામાં આવી રહ્યું છે. હવે અન્ય પક્ષો આવી વાતો કેમ કરે છે? શું તેમના ઘરે દીકરીઓ નથી? જનતા બધું જ જાણે છે.
આશા રનૌતે કહ્યું કે કંગના મારી દીકરી છે, તેણે (સંજય રાઉતે) મારી દીકરી માટે આવી ગંદી વાતો કેમ કહી? કંગના ક્યારેય ખોટું નથી બોલતી, તે હકીકત બોલે છે. જો તેણે (શિવસેના) ખોટી વાત કહી છે, તો આખી જનતા કંગનાની સાથે છે. હું શિવસેના સરકારને કહેવા માંગુ છું કે આ બધું ન કરે. સાથે જ હું ભાજપનો આભાર માનું છું, જેણે મારી દીકરીનું રક્ષણ કર્યું છે.
આશા રનૌતે આગળ કહ્યું કે કંગના હમણાં મુંબઈમાં રહેશે, તેણે ત્યાં 15 વર્ષ સંઘર્ષ કર્યો છે. તેણે પોતાનું અડધું જીવન મુંબઈમાં વિતાવ્યું છે. મહારાષ્ટ્ર દરેકનો છે. આ ખાસ વાતચીતમાં આશા રનૌતે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું કે શા માટે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. ઉલ્લેખનીય છે કે, કંગનાની માતાએ ગઈકાલે જ બીજેપીમાં જોડાઈ ગઈ હતી. આશા રનૌતે કહ્યું- કંગના સાથે જે થયું એ પછી બીજેપીમાં આવવું જ પડ્યું.