મોબ લિંચિંગ પર 49 હસ્તીઓએ મોદી સરકારને લખેલા લેટરના જવાબમાં હવે 61 હસ્તીઓએ ખુલ્લો પત્ર લખ્યો છે. આ લેટર પર 61 હસ્તીઓએ સહી કરી છે. એમને પૂછ્યું કે જ્યારે આદિવાસીઓને માઓવાદીનો નિશાનો બનાવે છે ત્યારે આ ચુપ કેમ રહે છે.
બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવત, ગીતકાર પ્રસૂન જોશી, ક્લાસિકલ ડાન્સર અને સાંસદ સોનલ માનસિંહ સહિત 61 હસ્તિઓએ 49 સેલેબ્સના લેટરને આક્રોશ જણાવ્યો છે. આ લેટર પર 61 હસ્તીઓની સહી છે. એમને પૂછ્યું કે જ્યારે આદિવાસીઓને માઓવાદીને નિશાનો બનાવે છે ત્યારે એ કેમ ચૂપ રહે છે.
હસ્તાક્ષર કરનારી 61 હસ્તીઓમાં સીબીએફસીના ચેરમેન પ્રસૂન જોશી, સોનલ માનસિંહ, કંગના રાણાવત, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, ડૉક્ટર સ્વપન દેશ ગુપ્ત, વિવેક અગ્નિહોત્રી, અશોક પંડિત, પલ્લવી જોશી જેવા સેલિબ્રિટી જેવાના નામ સામેલ છે.
The 61 personalities who have written an open letter against 'selective outrage and false narratives'. pic.twitter.com/Fdeac3KCri
મૉબ લિન્ચિંગની ઘટનાઓ પર મોદી સરકારને આડે હાથ લેનારા લોકો પર કંગના ભડકી છે. મીડિયા સાથે વાતચીત પર કંગના રાણાવતે કહ્યું 'કેટલાક લોકો પોતાની તાકાત અને રૂતબાનો ખોચો ઉપયોગ કરીને ખોટું ફેલાવી રહ્યા છે. તે લોકો એવું દેખાડવા ઇચ્છે છે કે હાલની સરકાર ખોટું કરી રહી છે. જ્યારે દેશમાં પહેલી વખત એવું થયું છે કે હાલની સરકાર સાચા રસ્તા પર જઇ રહી છે.'
એક્ટ્રેસે કહ્યું 'આપણે મોટા ફેરફારનો ભાગ છે, દેશની ભલાઇ માટે ચીજો બદલાઇ રહી છે. એનાથી કેટલાક લોકો પરેશાન છે. લોકોએ જાતે પોતાના પ્રતિનિધિઓ અને નેતાઓને પસંદ કર્યા છે. જે લોકો જનતાના નિર્ણયની અવગણના કરી રહ્યા છે, તે એવા લોકો છે જે લોકતંત્રનું સમ્માન કરતા નથી.'