દેશની રાજધાની દિલ્હીમાં ખેડુતોનો વિરોધ ચાલુ હોવાથી અભિનેત્રી કંગના રણૌત પણ ખુલ્લેઆમ આ મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કરી રહી છે. કંગના એટલી હદે સક્રિય થઈ ગઈ છે કે તેની કેટલી ટ્વીટ્સથી હોબાળો થયો છે.
કંગના રણૌત દિલ્હીમાં ખેડૂતોના વિરોધ મામલે આપી રહી છે પોતાનો મત
કંગનાએ હાલમાં જ એક ટ્વિટમાં શાહીન બાગની દાદી વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. પહેલા તેણે દાવો કર્યો કે તેણે દાદીમાએ ખેડૂતોના પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને બાદમાં તેણે કહ્યું હતું કે તે 100 રૂપિયામાં ગમે ત્યાં આવી શકે છે. બાદમાં અભિનેત્રીએ આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.
દિલજીત દોસાંઝે ટ્વિટ કરી આપી પ્રતિક્રિયા
પરંતુ તીર કમાનમાંથી છૂટી ગયું હતું અને હવે ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે આ ટ્વિટ પર જોરદાર પ્રતિક્રિયા આપી હતી. તેણે કંગનાના દાવાઓને ખોટા ગણાવતા એક વીડિયો શેર કર્યો હતો.
મહિન્દર કૌર નામની વૃદ્ધ દાદીનો વીડિયો શેર કરતી વખતે દિલજીતે લખ્યું - માણસ એટલો અંધ ન હોવો જોઈએ. કંઈ બોલવું જોઈએ નહીં. આ રહી પૂરી સાબિતી.
Ooo Karan johar ke paltu, jo dadi Saheen Baag mein apni citizenship keliye protest kar rahi thi wohi Bilkis Bano dadi ji Farmers ke MSP ke liye bhi protest karti hue dikhi. Mahinder Kaur ji ko toh main janti bhi nahin. Kya drama chalaya hai tum logon ne? Stop this right now. https://t.co/RkXRVKfXV1
હવે આ ટ્વિટ દ્વારા દિલજીતે કંગના રણૌતને જવાબ આપવાની કોશિશ કરી હતી. પરંતુ અભિનેતાનો આ પ્રયાસ કંગનાને પસંદ આવ્યો નહીં. દિલજિતના આ ટ્વિટ પછી કંગનાએ તેના પર વ્યક્તિગત હુમલો કર્યો.
કંગના રણૌતે દિલજીતને કરણ જોહરનો પાળતુ કહ્યો. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું હતું - ઓ કરણ જોહરના પાલતુ, જે શાહીન બાગમાં નાગરિકતા કાયદા સમયે વિરોધ કરી રહી હતી તે બિલ્કિસ બાનો દાદાજી હતી. હવે બાદમાં તે ખેડૂતો સાથે પણ ધરણાં કરતા દેખાય છે. મહિંદર કૌરજીને તો હું ઓળખતી પણ નથી. આ શું ડ્રામા ચલાવ્યો છે તે...
શું તું દરેકની પાલતુ છે? : દિલજીતનો કંગના પર પલટવાર
Tuneh Jitne Logon Ke Saath Film Ki Tu Un Sab Ki Paaltu Hai...?
Fer To List Lambi Ho Jaegi Maalko Ki..?
Eh Bollywood Wale Ni PUNJAB Wale aa .. Hikk Te Vajj Sadey
Jhooth bol kar logo ko badhkana aur emotions se khailna woh toh aap achey se janti ho..😊 https://t.co/QIzUDoStWs
હવે કંગનાની આ સ્પષ્ટતા બાદ દિલજીતે ફરી એક્ટ્રેસ પર પલટવાર કર્યો. કરણ જોહરની પાલતુ કમેન્ટથી ગિન્નાયેલા દિલજીતે લખ્યું કે શું તે જેટલા લોકો સાથે કામ કર્યુ છે તે દરેકની તું પાલતુ છે?
દિલજીતે આગળ લખ્યું - જૂઠું બોલો અને પછી લોકોને ઉશ્કેરશો, લોકોની ભાવના સાથે રમવાનો, કંગનાજી તમે આ બધુ સારી રીતે જાણો છો. દિલજિતની આ પ્રતિક્રિયા પર કંગનાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
કંગનાએ દિલજીતને ચમચો કહ્યો
કંગનાએ દિલજીતને ટ્વિટ કરીને લખ્યું કે, ઓ ચમચા તું જેટલા લોકોનું ચાટી-ચાટીને કામ લે છે, બહુ ઉછળીશ નહીં, હું કંગના રણૌત છું, તારા જેવાની ચમચી નથી હું.
અન્ય એક ટ્વીટમાં કંગનાએ દરેક વ્યક્તિને ચેતવણી આપી છે કે જે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. ટ્વિટમાં કંગનાએ લખ્યું છે- સાંભળો ગિડ્ડો, મારા મૌનને મારી નબળાઇ ન માનો, હું જોઈ રહ્યો છું કે તમે કેવી રીતે નિર્દોષ લોકોને જૂઠ બોલીને અને તેનો ઉપયોગ કરીને ઉશ્કેરણી કરી રહ્યા છો.
કંગનાએ આગળ લખ્યું છે કે - જ્યારે શાહીન બાગનું રહસ્ય બહાર આવશે ત્યારે હું એક તેજસ્વી ભાષણ લખીશ અને હું તમારો ચહેરો કાળો કરીશ. કંગનાનું આ ટ્વિટ વાયરલ થયું છે.
सुनो गिद्दों मेरी ख़ामोशी को मेरी कमज़ोरी मत समझना, मैं सब देख रही हूँ किस किस तरह से तुम झूठ बोलकर मासूमों को भड़का रहे हो और उनको इस्तेमाल कर रहे हो, जब शाहीन बाग़ की तरह इन धरनों का रहस्य खुलेगा तो मैं एक शानदार स्पीच लिखूँगी और तुम लोगों का मुँह कला करूँगी- बब्बरशेरनी pic.twitter.com/mYx5mmLkEE