ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. હવે માત્ર એકાદ અઠવાડિયા કરતા પણ ઓછો સમય રહ્યો છે ત્યારે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે.
ભારતીય ક્રિકેટ રસીયાઓ માટે દુ:ખદ સમાચાર
પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન મેહલી ઇરાનીનું 90 વર્ષની વયે નિધન
ક્રિકેટમાં શોકની લહેર
મળતી જાણકારી પ્રમાણે, મુંબઇના દિગ્ગજ વિકેટકીપર-બેટ્સમેન મેહલી ઇરાનીનું નિધન થયું છે. મેહલીએ દુબઇમાં 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આ કદાવર બેટ્સમેનના નિધનને પગલે ક્રિકેટમાં શોકની લહેર જોવા મળી છે. તો કેટલાય દિગ્ગજ ક્રિકેટરોએ મેહલીના નિધનને પગલે શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કાંગા લીગને કર્યું 57 વર્ષ અર્પણ કર્યા
મુંબઇ ક્રિકેટ એસોસિયેશનની એપેક્સ કાઉન્સિલના સભ્ય અને વિખ્યાત ક્યૂરેટર નદીમ મેનને PTI સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મેહલીનું નિધન શનિવારે દુબઇમાં થયું છે. મેહલી ઇરાની ભારતીય ક્રિકેટના એ સિતારા હતા, જેમણે મુંબઇની પ્રતિષ્ઠિત કાંગા લીગને પોતોના જીવવના 57 વર્ષ અર્પણ કર્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ નરી કોન્ટ્રાક્ટર, ફારુખ એન્જીનીયર, કરસન ઘાવરી અને ગુલામ પારકર પણ મેહલનીની કેપ્ટનશીપમાં આ લીગનો ભાગ રહ્યા છે.
ગાવસ્કર, નરી કોન્ટ્રાક્ટરે વ્યક્ત કર્યો શોક
મેહલી ઇરાનીના નિધન પર જાણીતા બેટ્સમેન સુનીલ ગાવસ્કરે શોક વ્યક્ત કરતા કહ્યું કે, આ ખૂબ જ દુ:ખદ છે. તેઓ સંભવત: મુંબઇના સૌથી લોકપ્રિય ક્રિકેટર રહ્યા. એક લાઇનમાં વાત કરવાનો તેમનો અનોખો અંદાજ હતો. જ્યારે હું નાનો હતો ત્યારે પારસી સાઇક્લિસ્ટની રમતમાં હું તેમને સાંભળવા જતો હતો. હું જ્યારે પણ બોમ્બે જીમખાના જઈ જઇશ ત્યારે તેમની સાથે કરેલી ચર્ચા જરૂર યાદ આવશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
મેહલી ઇરાનીનું કેરિયર
ડાબોડી વિકેટકીપર ક્રિકેટર મેહલી ઈરાનીનો જન્મ 26 જૂન 1930ના રોજ બોમ્બેમાં થયો હતો. તેમણે કાંગા લીગમાં બોમ્બે જીમખાના અને પારસી સાઇક્લિસ્ટ ક્લબનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યાં સુધી પ્રથમ શ્રેણીના ક્રિકેટની વાત છે તો મેહલીએ 4 પ્રથમ શ્રેણી મેચોમાં 1 વખત અણનમ રહેતા 99 રન બનાવ્યા હતા. 19.80ની ગતિએ તેમણે આ રન અડધી સદીથી બનાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સ્કોર 68 રનનો રહ્યો.