આવતી કાલે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે. જેમા રાહુલ ગાંધીની સામેજ તેઓ કોંગ્રેસમાં જોડાવાના છે.
આવતી કાલે કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે
કોંગ્રેસને બંને નેતાઓથી ઘણો ફાયદો થશે
રાહુલ ગાંધીની હાજરીમાં બંને નેતા કોંગ્રેસમાં જોડાશે
આવતીકાલનો દિવસ કોંગ્રેસ માટે ઘણો ખાસ રહેશે. કાલે શહિદ ભગતસિંહની જયંતીના રોજ જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં શામેલ થશે. એવું માનવામાં આવી રહ્યું છે આ બંન્ને નેતાઓ કાલે સાંજે રાહુલગાંધીની હાજરીમાંજ કોંગ્રેસમાં શામેલ થશે.
પંજાબ કોંગ્રેસની ઉથલપાથલ શાંત થવાની રાહ જોવાતી હતી
છેલ્લા ઘણા સમયથી આ ચર્ચાએ જોર પકડ્યું છે કે બંને નેતાઓ કોંગ્રેસમાં શામલ થવાના છે. આ બંને નેતા પંજાબ કોંગ્રેસમાં જે ધમાસાણ ચાલી રહ્યું હતું તેને શાંત થવાની રાહ જોઈ રહ્યા હતા. આવતીકાલે શહીદ ભગતસિંહની જન્મજયંતીના રોજ ચતેઓ કોંગ્રેસમા સદસ્ય બનશે. જેનાથી કોંગ્રેસને ઘણો ફાયદો તઈ શકે છે.
લોકસભા ચૂંટણી પર કોંગ્રેસની નજર
કોંગ્રેસની નજર હવે વિધાનસભાની સાથે લોકસભા ચૂંટણી ઉપર પણ છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રસ હવે નવા યુવા ચહેરાઓને પાર્ટીમાં શામેલ કરી રહી છે. જેથી 2024માં તેઓ સત્તા હાંસલ કરી શકે. કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીને પાર્ટીમાં શામલ કરવાથી કોંગ્રેસને મોટો ફાયદો થશે કારણકે તેમના મોટા પ્રમાણમાં સમર્થકો છે.
2019માં કન્હૈયા કુમરા લડ્યા હતા ચૂંટણી
કન્હૈયા કુમાર વિશે જો વાત કરવામાં આવે તો તે બિહારના બેગુસરાયથી છે. વર્ષ 2019માં તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમ છતા પાર્ટીનું માનવું છે કે બિહારમાં નવા ચહેરા જરૂરી છે. કન્હૈયા કુમારે વિદ્યાર્થી નેતા તરીકે સંગઠન બનાવાનો અનુભવ છે. જેથી બિહાર કોંગ્રેસના નેતાન અમરિંદર સિંહનું માનવું છે કે કન્હૈયા કુમારના આવવાથી પાર્ટીને મોટો ફાયદો થશે.
આપને જણાવી દીઈએ કે 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, અને જિગ્નેશ મેવાણીએ મહત્વની ભૂમીકા ભજવી હતી. હાલ હાર્દિક પટેલ તો કોંગ્રેસમાં શામેલ થઈ ચુક્યા છે. બીજી તરફ અલ્પેશ ઠાકોર ભાદપમાં જોડાયા છે. જોકે હવે જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાશે જેના કારણે કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે.