કમલેશ તિવારી હત્યા કેસમાં સંડોવાયેલા અશફાકે તેના પિતા અને પત્ની સાથે ફોન પર વાતચીત કરી હતી. જેનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાતચીતમાં ખુલાસો થયો કે કેવી રીતે અશફાક પરિવારના દબાણ હેઠળ ગુજરાત પોલીસની ઝપટે ચડ્યો
કમલેશ તિવારી હત્યા કેસ મામલો
હત્યા કેસના આરોપીના ફોન કોલનો ઓડિયો વાયરલ
ટેલિફોનિક ઓડિયોમાં અશફાક તેની પત્નીને કહે છે કે અમે શાહજહાંપુરથી લખનૌ પહોંચવાના છીએ. તે દરમિયાન અશફાકના પિતા તેને કહે છે કે તું લખનઉ ન જા. અમે ગુજરાત એટીએસ સાથે વાત કરી લીધી છે.
કમલેશ તિવારીની હત્યાના 2 આરોપીઓની ગુજરાતથી ધરપકડ
બહુચર્ચિત કેસ કમલેશ તિવારીની હત્યાનો કેસ મામલે ગુજરાત ATSની વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ વધુ બે આરોપીની ધરપકડ કરી છે. કમલેશ તિવારીની હત્યા કેસમાં ATSને સફળતા મળી છે. ATS હત્યા કેસમાં વધુ બે આરોપી અશફાક હુસૈન અને પઠાણ મોઇનુદ્દીનની ધરપકડ થઇ છે. આ બંને આરોપીઓ પાકિસ્તાન જવાની ફિરાકમાં હતાં. વાઘા બોર્ડરથી માત્ર 285 કિલોમીટર દૂર તેમના લોકેશન મળ્યાં હતાં. મહત્વનું છે કે, ઉત્તરપ્રદેશ પોલીસે આ શખ્સો પર રૂપિયા 2 લાખ 50 હજારનું ઇનામ જાહેર કર્યુ હતું. આ બંને શખ્સોની શામળાજીથી ધરપકડ કરવામાં આવી છે.
કમલેશ તિવારીની હત્યા રાજનીતિનો એક ભાગ
કમલેશ તિવારીની હત્યા કરનાર મોઇનુદ્દીન અને અશફાકને યુપી પોલીસ લખનૌ લઇ ગઇ છે ત્યારે અન્ય તમામ આરોપી પણ લખનૌ પોલીસની હિરાસતમાં છે. કમલેશ તિવારીની હત્યા રાજનીતિનો એક ભાગ છે પછી જેહાદી ષડ્યત્રના ભાગરૂપે કરવામાં આવી છે. તે એક મોટો સવાલ ઊભો થયો છે.
બ્રેનવોશ કરીને હત્યા કરવામાં આવી હતી
પોલીસની તપાસમાં કમલેશ તિવારીએ વર્ષ 2015માં મોહમ્મદ પેગંબર વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનો બદલો લેવા માટે સુરતથી ઝડપાયેલા કાવતરાખોર રાશિદ પઠાણ, મૌલાના મોહસીન અને ફૈઝાને જ જેહાદી ષડયંત્રના ભાગ રૂપે બંને હત્યારાઓના બ્રેનવૉશ કરી હત્યા કરાવી હતી.