લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાકાંડ મામલામાં પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. જેમાંથી ત્રણ લોકો સુરત અને 2 લોકોને ઉત્તરપ્રદેશથી છે. જોકે, આ હત્યાકાંડના મુખ્ય 2 આરોપીઓની હજુ સુધી ધરપકડ કરાઇ નથી. જોકે, હત્યાકાંડ મામલે પોલીસના નિવેદનો પર સવાલ ઉઠી રહ્યા છે.
કમલેશ તિવારી હત્યાકાંડ મામલામાં પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી
હત્યાકાંડના મુખ્ય 2 આરોપીઓની હજુ સુધી ધરપકડ કરાઇ નથી
હત્યાકાંડ મામલે પોલીસના નિવેદનો પર સવાલ ઉઠ્યા
બીજી તરફ કમલેશ તિવારીના પરિવારજનોનું કહેવું છે કે તેમને પોલીસની તપાસમાં પૂર્ણ રીતે વિશ્વાસ નથી. કમલેશના પુત્ર સત્યમ તિવારીનું કહેવું છે કે જે લોકોને પોલીસે પકડ્યા છે, જો તેના વિરુદ્ધ કોઇ પુરાવા છે તો મામલાની તપાસ એએનઆઇ કરે.
જ્યારે પરિવારે આ હત્યાકાંડમાં એક બીજેપી નેતાનું નામ લીધું છે. મામલામાં ફજેતી થતા જોઇને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી પરિવારના પુત્રને સરકારી નોકરી, સુરક્ષા અને આવાસ આપવાનું આશ્વાસન આપ્યું છે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે પણ કમલેશના પરિવારજનોની મુલાકાત લીધી. જોકે, આ તમામ ઘટનાક્રમ વચ્ચે પોલીસના નિવેદનો પર સવાલ ઉઠી રહ્યા છે.
એસએસપી કલાનિધિ નૈથાનીએ 18 ઓક્ટોબરે કહ્યું : શરૂઆતી તપાસમાં આ અંગત અદાવતનો મામલો લાગે છે. લોકો તેમને મળવા માટે આવ્યા હતા, અને તેમની સાથે દુશ્મની હતી. એવામાં લાગે છે કે આ લોકો કમલેશ તિવારીને ઓળખતા હતા. એવું લાગે છે કે કોઇ જાણિતા વ્યક્તિએ જ તિવારીની હત્યા કરી છે.
ડીજીપી ઓપી સિંહે 19 ઓક્ટોબરે કહ્યું: આ હત્યાકાંડમાં ગુજરાત સુધી કનેક્શન મળ્યા બાદ પણ અત્યાર સુધી આરોપીઓના કોઇ આતંકવાદી સમૂહ સાથે જોડાયા હોવાના પુરાવા મળ્યા નથી. પહેલી નજરમાં તિવારીની હત્યા તેમના વર્ષ 2015માં આપેલા નિવેદનનું કારણે થઇ છે. જોકે, આ મામલામાં તમામ આરોપીઓના પકડાયા બાદ જ સ્પષ્ટતા થઇ શકશે.
ડીજીપી ઓપી સિંહે 21 ઓક્ટોબરે કહ્યું : હું કોઇપણ સંભાવનાથી ઇનકાર કરી રહ્યો નથી. (જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે શું કોઇ આંતકવાદી સંગઠન સાથે પણ સંબંધ છે જેના પર તેઓ એક દિવસ પહેલા ઇનકાર કરૂ ચૂક્યા હતા) એમણે કહ્યું કે, જુઓ, ઘણા પ્રકારના આંતકી મોડ્યૂલ છે. કેટલાક સ્વયંભૂ મોડ્યૂલ્સ છે. સ્લીપર મોડ્યૂલ પણ છે. કેટલાક મોડ્યૂલ આંતકી સંગઠનો સાથે પણ જોડાયેલા છે. અમે તપાસ કરી રહ્યા છે. જ્યારે બાકી આરોપીઓને પકડી લઇશું ત્યારે જ સત્ય જાણી શકીશું.