હિંદુ સમાજવાદી પાર્ટીના નેતા કમલેશ તિવારીની નિર્મમ હત્યા બાદ તેમના અસ્થિને લઈને તેમની માતા અને નાનો દીકરો ગંગા કિનારે વારાણસી પહોંચ્યા. આ સમયે કમલેશ તિવારીની માતાએ એક વાર ફરી યોગી સરકારની સાથે પીએમ મોદી પર પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
કમલેશ તિવારી હત્યાકાંડમાં માતાનો રોષ
અસ્થિ વિસર્જન સમયે પીએમ મોદી પર વ્યક્ત કર્યો રોષ
મોદીજી જ્યાંના હશે ત્યાંના હશે, પણ અમારા ભગવાન નથીઃ કુસુમ તિવારી
કુસુમ તિવારીએ કહી પીએમ મોદી માટે આ વાત
પીએમ મોદીનું સંસદીય ક્ષેત્ર છે તમે કંઈ કહેવા ઇચ્છો છો આવો પ્રશ્ન કમલેશ તિવારીની માતાને કરવામાં આવ્યો ત્યારે તેઓએ કહ્યું કે 'મોદીજી જ્યાંના હોય ત્યાંના હશે, હું ભોલેના દરબારમાં આવી છું, મોદી અમારા ભગવાન નથી. અમે મોદીજી સાથે સંતુષ્ટ નથી. 4 દિવસ કહેવામાં આવ્યું હતું પણ 24 કલાકમાં જ હત્યારા પકડી લેવામાં આવ્યા હતા. શું કહું. પોલિસની સુરક્ષામાં વારાણસી લાવવામાં આવ્યા. હું મારી આઝાદીથી આવી શકી નહીં. જેટલી પોલિસ મારી સાથે છે એટલી બદમાશોની સાથે હોતી તો કદાચ તેઓ પકડાઈ જતા. 2 પોલિસવાળા મારા દીકરાની સાથે હોત તો આજે મારો દીકરો મારી સાથે હોત. અમને નજરકેદ કરવામાં આવ્યા છે. '
કુસુમ તિવારી અહીં પણ અટકી નહીં. તેઓએ કહ્યું 'જો હું કંઈ કહીશ તો જે દશા મારા દીકરાની થઈ છે તે મારી પણ થશે. મીડિયાને કહ્યું કે રોકાઈ જાઓ. 4 દિવસ પછી હું બધું બોલીશ, તમે સાંભળજો.'
અસ્થિ કળશ વિસર્જન સમયે કમલેશની માતાએ કહ્યું આવું
આ ડર હાલના કેન્દ્ર અને યૂપીની બીજેપી સરકારની વિરુદ્ધ કોઈ અન્યએ નહીં પણ હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની માતાનો છે. જેમની છેલ્લા કેટલાક દિવસો પહેલાં હત્યા કરવામાં આવી હતી. સોમવારની રાતે કમલેશની માતા પોતાના પૌત્ર એટલેકે કમલેશ તિવારીના નાના દીકરાની સાથે વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર દીકરાના અસ્થિ કળશને ગંગામાં વિસર્જિત કરવા માટે પહોંચી હતી.
હિંદુ સમાજ પાર્ટીએ યૂપી સરકારને આપ્યું અલ્ટીમેટમ
હિંદુ ધર્મની વાત કરતાં હિંદુ સમાજ પાર્ટીના નેતા રાજેશ મણિ ત્રિપાઠીએ યૂપી સરકાર અને પોલિસને 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ બે દિવસમાં હત્યારાઓની ધરકડ નહીં થાય તો તે સડક પર હશે. પાર્ટીના રાષ્ટ્રિય મહાસચિવે કમલેશ તિવારીની હત્યાને હત્યા નહીં પણ કાવતરું ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે એક વાર જ્યારે હિંદુ ધર્મની રક્ષા માટે કમલેશ તિવારીએ અભિવ્યક્તિની આઝાદીના આધારે શું આપ્યું તો તેમને NSAના આધારે જેલ મોકલી દેવામાં આવ્યા હતા. 4 દિવસ બાદ પણ હત્યારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ માટે તેઓ પોલિસની કાર્યવાહીથી સંતુષ્ટ નથી.