બ્રિટનમાં ઉચ્ચ પદે ફરજ બજાવતા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ(લેસ્ટર) કમલેશ (કામ) મિસ્ત્રીએ VTV News સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે તેમની ભૂમિકા, કાર્યપદ્ધતિ, બ્રિટનના કાયદાઓ, બ્રિટનની સ્થિતિ, ગુજરાતી લોકો અને કોરોના વાયરસ અંગે ચર્ચા કરી હતી.
બ્રિટનમાં ઉચ્ચ પદે ફરજ બજાવે છે કામ મિસ્ત્રી
27 વર્ષથી બ્રિટનમાં ઉચ્ચ પદે કામ કરે છે
VTV સાથે તેમણે ખાસ વાતચીત કરી
કામનો જન્મ અને ઉછેર લેસ્ટરમાં થયો હતો. તે માતા, પત્ની, 25 વર્ષના પુત્ર અને 22 વર્ષીય પુત્રીના સાથે રહે છે. તે 27 વર્ષથી વધુ સમયથી પોલીસમાં કામ કરે છે. તેમણે પોલીસમાં ડિટેક્ટીવ સહિતના ક્ષેત્રોમાં કામ કર્યું છે. ત્યારે આ અધિકારી કામ મિસ્ત્રીએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી.
વીટીવી સાથે વાતચીત દરમિયાન તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમે ત્યાં કેવી રીતે કામ કરો છો? ત્યાંના કાયદાઓમાં શુ ફરકે છે? જેના જવાબમાં કામ મિસ્ત્રીએ કહ્યું કે, કોરોના હોય કે ના હોય પોલીસને 24*7 કલાક કામ કરવાનું હોય છે. હાલની પરિસ્થિતિમાં અમે લોકોને સમજાવીએ કે તમારાથી બહાર ના જવાય, તમારે કાયદા પ્રમાણે રહેવું જોઇએ, આમ અમે લોકો સાથે વાત કરીએ છીએ. છતા પણ ના માને તો અમે તેને દંડ ફટકારીએ છીએ. તેમણે કહ્યું કે, અહીં ગુજરાતી, પંજાબી સહિત અનેક અલગ અલગ લોકો વસવાટ કરે છે.
જ્યોર્જ ફ્લોઇડના મોત બાદ બ્રિટનમાં શું સ્થિતી છે?
જે અંગે તેમણે જણાવ્યું હતું કે, અહીં હિંસા થઇ હતી, હજુ થોડું ચાલી રહ્યું છે પરંતુ હવે બધુ કંટ્રોલમાં છે. અહીં કેટલીક જગ્યાએ પ્રોટેસ્ટ થયા છે, જ્યાં પ્રોટેસ્ટ થવાના હોય તે અંગે ઉપરથી અમને જાણ કરી દેવામાં આવે છે. ધમાલ થવાની હોય પોલીસ વાળા રેડી હોય છે.
તમને શું ગુજરાત ગમે છે?
જેના જવાબમાં તેમણે કહ્યું કે, હાલ તો અહીં ફરજ બજાવું છું, પરંતુ લોન્ગ ટાઇમના વિચારમાં મારે ભારત પાછું આવવું છે. ગુજરાત પાછું આવવું છે.
શું ગુજરાતીઓએ વિદેશ આવવું જોઇએ?
જે અંગે તેમણે કહ્યું કે, યંગસ્ટર્સને કહીશ કે ભણતર બહુ ઉપયોગી છે, ગમે તે દેશમાં જશે ત્યાં ભણતર જરૂરી છે. માટે આપણા ત્યાંથી વિદેશ જવું હોય છે, પરંતુ પહેલા ભણતર પતાવી લો, તો વાંધો નહીં આવે. ભણેલા ના હોય તો અહીં મજૂરીયાતના કામ કરવા પડે. ભણેલા માણસો અહીં આવે અને ભણીને આવે.