પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે. જેઑ આવતીકાલે ભાજપમાં જોડાશે.
કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
આવતીકાલે ભાજપમાં જોડાશે કામિનીબા
દહેગામ ટિકિટ ન આપતા નારાજ હતા કામિનીબા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે નેતાઓ નારાજ થઈ પોતાની પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. તેવામાં કોંગ્રેસથી લાંબા સમયથી નાજર કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે. જેઑ આવતીકાલે ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ટિકિટ ન આપતા કામિનીબા નારાજ હતા અને કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ આજે અપક્ષ ઉમેદવારીમા ફોર્મ પરત ખેચી લીધી છે.
કામિનીબા રાઠોડે નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી
કોંગ્રેસ પર ટિકિટને લઈ સોદેબાજીનો ગંભિર આરોપ લગાવનાર દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે પોતાની ઉમેદવારી પરત ખેચી લીધી છે. દેહગામ બેઠક પરથી કોંગ્રેસે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા કામિનીબા રાઠોડ નારાજ થયા હતા અને તેમણે દહેગામથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કામિનીબા રાઠોડે ટિકિટને લઈ પ્રદેશ પ્રમુખ પર પણ ગંભિર આરોપ લગાવ્યા હતા. ત્યારે કામિનીબા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસના વરીષ્ટ નેતાઓએ તેમને મનાવવા પ્રયત્ન કર્યા હતા. જે બાદ આજે કામિનીબા રાઠોડે દહેગામ બેઠક પરથી ફોર્મ પરત ખેંચી લીધું હતું. જો કે તેના થોડા જ સમયમાં કામિનીબા રાઠોડે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે ફોર્મ પરત ખેંચ્યા બાદ તેમણે વડીલોના સન્માનમાં સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યુ હોવાની વાત જણાવી હતી.
કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા
તાજેતરમાં જ દહેગામ બેઠકને લઈને કોંગ્રેસના નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતો. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, મારી પાસે ટિકિટ માટે 1 કરોડની માંગણી કરવામાં આવી હતી. જે બાદ 50 લાખમાં ટિકિટ આપવાનું સેટિંગ કરવામાં આવ્યું હતું. જો કે, હું પૈસાની માગ પૂરી ન કરી શકતા અન્યને 1 કરોડમાં ટિકિટ વેચી દેવામાં આવી હોવાનું કહ્યું હતું.