શનિવારે જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલા હિન્દુવાદી સંભાષણનો વિવાદ હજુ શમ્યો પણ નથી ત્યાં જ વિશ્વ હિંદુ પરિષદની ભગીની સંસ્થા બજરંગ દળનો એક નવો વિવાદ સામે આવ્યો છે.બજરંગ દળે અમદાવાદની એક પુસ્તકની દુકાનમાં 'કામસૂત્ર'પુસ્તકને આગને હવાલે કરી દીધી છે.
શું છે 'કામસૂત્ર'માં ?
અમદાવાદની એક બૂક શોપમાં ઘુસી જઈ બજરંગ દળના કાર્યકર્તાઓએ એક પુસ્તકને આગ લગાવી દીધી છે. શહેરના સરખેજ-ગાંધીનગર રોડ પર આવેલી 'લેટીટ્યુટ'નામની દુકાનમાં 'કામસૂત્ર'નામના પુસ્તકને આગ ચાંપી દીધી. બજરંગ દળના સંયોજક જ્વલિત મહેતા અને અન્ય કાર્યકર્તાઓનો આરોપ છે કે, આ પુસ્તક'કામસૂત્ર'માં હિંદુ દેવી-દેવતાઓની તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Vatsayana’s Kaamsutra has been a pride of India for centuries as has been the sculptures of Ajanta Ellora Khajuraho and Konark. So what do we expect? Bamiyan Buddha style demolition of all Indian heritage? 2/N pic.twitter.com/HX4vwHWlOV
બજરંગ દળના સંયોજક જવલિત મહેતાએ પુસ્તક સાથે એક વિડીયો પણ બનાવ્યો છે.સાથોસાથ પુસ્તક વિક્રેતાને ધમકી પણ અપાઈ છે કે,આ વખતે દુકાનની બહાર પુસ્તકને આગ ચાંપી છે,જો હવે આ પુસ્તકનું વેંચાણ ચાલુ રહ્યું તો દુકાનને પણ આગ લગાવી પુસ્તકોને રાખ કરી દઈશું.
કામુક અને ઉત્તેજિત કરતા ચિત્રો /શિલ્પ -સ્થાપત્ય.
આપને જણાવી દઈએ કે, 'કામસૂત્ર' એ ઋષિ વાત્સ્યાયન રચિત ગ્રંથ છે.રાજસ્થાનના દુર્લભ કહી શકાય તેવા કામુક, ભાવ-ભંગિમા સભર ચિત્રો સાથે ખજૂરાહો,કોનાર્ક સહિતના શિલ્પ સ્થાપત્ય પણ કામસૂત્ર થી જ પ્રેરિત છે.કહેવાય છે કે, વાત્સ્યાયને બ્રહ્મચર્ય અને પરમ સમાધિના સહારે કામસૂત્રની રચના ગૃહસ્થ જીવન નિર્વાહ માટે કરી હતી.વિશ્વભરની કેટલીય ભાષાઓમાં આ ગ્રંથનો અનુવાદ પણ થયો છે.
આ મહિનામાં બજરંગ દળ સાથે જોડાયેલો આ બીજો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ કાનપુરમાં લઘુમતી કોમના એક શખ્સની મારપીટ કર્યા બાદ તેમની પાસે જબરજસ્તીથી જય શ્રી રામના નારા લગાવાયા હોવાનો પણ આરોપ છે.