મધ્ય પ્રદેશ કોંગ્રેસ અને જૂથવાદ એકબીજાના પર્યાય માનવામાં આવે છે, જો કે છૂટાછવાયા નિવેદનો સિવાય છેલ્લા કેટલાક દિવસોથી કોઈ સમાચાર નથી કે તેના વિશે કોઈ નક્કર બાબત થઈ શકે, પરંતુ ટીકમગઢમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવેદન બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આજે જ્યારે મીડિયામાં આ બાબતે તેમણે કમલનાથ સાથે વાત કરી ત્યારે તેમણે એવો જવાબ આપ્યો કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
મધ્યપ્રદેશ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ
કમલનાથે સિંધિયાના નિવેદન પર કરી મોટી વાત
રાજકારણમાં ગરમાવો
મીડિયામાં જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને સિંધિયાના નિવેદનને લઇને પૂછવામાં આવ્યું તો કમલનાથે પોતાના જવાબથી તમામ લોકોને ચોંકાવી દીધા હતા. મીડિયાએ કમલનાથને અટકાવીને પૂછ્યું કે, ટીકમગઢમાં સિંધિયાએ આપેલ નિવેદન મામલે આપનું શું કહેવું છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તો તેઓ 'ઉતરી જાય'. ત્યારબાદ તેમણે પોતાની કારનો કાચ બંધ કરી દીધો હતો અને ડ્રાઇવરને આગળ વધવા જણાવ્યું હતું.
કમલનાથ સરકાર પર સિંધિયાએ કર્યા પ્રહાર
જ્યોતિરાદિત્ય સિંધિયાએ 13 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશની મુલાકાતે હતા. આ દરમિયાન સિંધિયાએ કમલનાથ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. સિંધિયાએ આ દરમિયાન કમલનાથ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે જો મેનિફેસ્ટોનું એક પણ વચન અધૂરૂ રહેશો તો હું પોતે રોડ પર ઉતરી વિરોધ કરીશ.
#WATCH Madhya Pradesh Chief Minister Kamal Nath on being asked about Congress leader Jyotiraditya Scindia's statement of taking to streets over not fulfilling the state government's promise of waiving off farmers loan in the state: Toh utar jayein. pic.twitter.com/zg329BJSw0
ટીકમગઢની એક સભામાં કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ સિંધિયાએ અતિથિ શિક્ષકોને કાયમી કરવાને લઇને કહ્યું કે, મેં ચૂંટણી પહેલા તમારા માટે લડાઇ લડી હતી અને હું તમને ભરોસો આપુ છું કે તમારી માગ અમારી સરકારના મેનિફેસ્ટમાં સામેલ છે. અમારો મેનિફેસ્ટો અમારા માટે ગ્રંથ સમાન છે. જો કે જ્યોતિરાદિત્ય સિંધિયાના આ નિવેદનને લઇને કમલનાથે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
તાજેતરમાં જ સત્તા અને સંગઠનની વચ્ચે સમન્વય માટે એક કમિટીનું ગઠન કર્યું છે
કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ હાલમાં જ મધ્યપ્રદેશની સત્તા અને સંગઠનની વચ્ચે સમન્વય માટે એક કમિટીનું ગઠન કર્યું હતું. આ કમિટીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને સીએમ કમલનાથ પણ સામેલ છે. કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા ગઠિત આ સમિતિમાં સાત લોકોને સ્થાન મળ્યું છે.
દીપક બાબરિયા તેના અધ્યક્ષ છે. તે સિવાય સીએમ કમલનાથ, પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ, કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા, અરૂણ યાદવ, મંત્રી જીતુ પટવારી અને મીનાક્ષી નટરાજન છે. આ બધા લોકો સરકાર અને સંગઠનમાં કોઑર્ડિશનનું કામ સંભાળશે.