મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર એક વૈદિક શહેર વસાવવાની અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેમ્પલ મેનેજમેન્ટ ખોલવા પર વિચાર કરી રહી છે. વૈદિક શહેરની યોજનાને મહત્વ અપાઇ રહ્યું છે, જેની પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેમ્પલ મેનેજમેન્ટ ખોલવાનો પ્રસ્તાવ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પાસે લંબિત છે. એડિશનલ ચીફ સેક્રેટરી (અધ્યાત્મ વિભાગ) મનોજર શ્રીવાસ્તવે ધ સન્ડે એક્સપ્રેસને આ જાણકારી આપી.
અધિકારીએ જણાવ્યું કે સરકાર વિભિન્ન ધાર્મિક સમૂહોના મ્યૂઝિયમ બનાવવા માટે ભૂમિ ઉપલબ્ધ કરાવશે. આ મ્યૂઝિયમ પોત પોતાના ધર્મ વિશે જાણકારી આપશે. શ્રી વાસ્તવ મુજબ, સરકાર હાલ આ મ્યૂઝિયમ બનાવવા અને ચલાવવાની સ્થિતિમાં નથી. એવામાં ધાર્મિક સંગઠનોથી આશા છે જમીન ઉપલબ્ધ કરાવ્યા બાદ તે ખુદ એનો ખ્યાલ રાખે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મંદિરોની સંખ્યા મોટી સંખ્યામાં હોવાને ધ્યાને રાખીને રાજ્યમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેમ્પલ મેનેજમેન્ટ તૈયારી કરવાની યોજના બનાવી છે. નોંધનીય છે કે, કેટલાક પુજારીઓ પાસે મંદિર ચલાવવાની પુરી યોગ્યતા નથી.
આ યોજના પાછળ આશરે 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઇન્સ્ટિટ્યૂટ મંદિરો ખાસ રીતે જુના મંદિરોના જીર્ણોધ્ધાર કામ પર પણ ધ્યાન રાખશે. હાલ આ જવાબદારી સ્થાનિક PWD વિભાગ સંભાળી રહ્યો છે.