આ વખતે 25 મે શુક્રવારે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી છે. અધિક માસની અગિયારસને કમલા અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. અધિક માસમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ અનુસાર અધિક માસની અગિયારસ અને શુક્રવાર ખૂબજ દુર્લભ હોય છે કારણકે અધિક માસ 3 વર્ષમાં 1 જ વખત આવે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો આ તકલીફોમાંથી છૂટકારો મળે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જુઓ અગિયારસના ઉપાય....
જો પૈસાની સમસ્યા ચાલી રહી હોય તો અગિયારસ પર સવારે સ્નાન કરીને રાધા-કૃષ્ણના મંદિર જઇને દર્શન કરી અને પીળા ફૂલોની માળા અર્પણ કરો જેનાથી આ પરેશાની દૂર થઇ જશે.
સુખ સમૃદ્ઘિ મેળવવા માટે અગિયારસ પર પીળા ચંદન અથવા તો કેસરમાં ગુલાબ જળ મિક્સ કરી તેનાથી તિલક કે ચાંદલો કરો. આ ઉપાય રોજ પણ કરી શકાય છે.
લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કમલા અગિયારસ પર કેળાના બે ઝાડ વાવો જે પછી નિયમિત રીતે તેની દેખરેખ કરતા રહો.આ છોડ ફળ આપે ત્યારે તેનું દાન કરવું જાતે ન ખાવા.
અગિયારસ પર ભગવાન શ્રીકૃષ્ણને પાનના પત્તું ભેટ કરો અને ત્યારબાદ આ પત્તા પર કંકુથી શ્રીમંત્ર લખી તિજોરીમાં મૂકો. આ ઉપાયથી ધન વૃદ્ધિ થવાના યોગ બને છે.
આ અગિયારસ પર ભગવાન શ્રીકૃષ્ણને સફેદ મિઠાઇ કે ખીરનો ભોગ ધરાવો. તેમાં તુલસીનાં પાન ખાસ નાખવાં. તેનાથી ભગવાન શ્રીકૃષ્ણ જલદી પ્રસન્ન થાય છે.
અગિયારસ પર દક્ષિનાવર્તી શંખમાં જળ ભરી ભગવાન શ્રીકૃષ્ણને અભિષેક કરો. આ ઉપાયથી મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.