રતુલ પુરીના વકિલ વિજય અગ્રવાલની દરખાસ્ત પર સ્પેશિયલ જજ સંજય ગર્ગને જેલ સુપ્રિટેન્ડેન્ટને આદેશ આપ્યો કે રતુલ પુરીને જેલથી કોર્ટમાં એક સેપરેટ વાહનમાં લાવવામાં આવે. અન્ય કેદીઓની સાથે નહીં.
કોર્ટે કહ્યું કે જો દવાઓ રતુલ પુરી માટે જરૂરી છે અને રામ મનોહર લોહિલા હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બતાવાઇ છે, તો એમને જેલ મેન્યુઅલ અનુસાર ઉપલબ્ધ કરાવાશે. રતુલ પુરીને 17 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પહેલા દિલ્હીની રાઉસ એવેન્યૂ કોર્ટે ઇડીદ્વારા નોંધવામાં આવેલી બેન્ક દેવામાં છેતરપિંડી સાથે સંબંધિત મની લોન્ડરિંગ મામલામાં શુક્રવારે રતુલ પુરીને વધુ ચાર દિવસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. વિશેષ ન્યાયાધીશ સંજય ગર્ગે ઇડી (ED)ની અરજી પર આ આદેશ આપ્યો હતો. ઇડીએ આ મામલે રતુલ પુરીની 20 ઓગસ્ટે ધરપકડ કરી હતી.