નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પોતાની સરકાર રચવા જઈ રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના નામ પર રાહુલ ગાંધીએ મહોર લગાવી છે. કમલનાથના નામ પર રાહુલ ગાંધીએ મહોર લગાવી છે. આજે સાંજે મળનારી વિધાયકદળની બેઠક બાદ જાહેરાત કરવામાં આવશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ સમર્થન આપતા હવે કમલનાથ મુખ્યમંત્રી બનશે.
જો કે હજુ મુખ્યમંત્રીને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આજે સાંજે છ વાગ્યે ધારાસભ્યોની બેઠક યોજાશે. તેમાં સીએમના નામની જાહેરાત થઈ જશે.
ગઇકાલે સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જે નિર્ણય લેશે તે યોગ્ય રહેશે. રાહુલ ગાંધી નિર્ણય લેશે કે કોણ પ્રદેશના મુખ્યમંત્રી હશે. ત્યારે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીએ કમલનાથના નામ પર મહોર લગાવી છે.
મહત્વનું છે કે જે પર્યવેક્ષક આવ્યા હતા તેઓએ પણ દરેક ધારાસભ્ય સાથે અલગથી ચર્ચા કરી છે. તેઓ રિપોર્ટ લઈને દિલ્હી ગયા છે. દિલ્હી જઈને તેઓ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરશે અને બાદમાં મુખ્યમંત્રીનો નિર્ણય લેવાશે.
મધ્યપ્રદેશમાં ખીલ્યું કમળ
મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કમલનાથ હશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ પર મહોર લગાવી દીધી છે. મોડી સાજે ધારાસભ્યની બેઠકમાં કમલનાથના નામનું એલાન કરી દેવામાં આવશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બન્નેમાં રાહુલ ગાંધીને યુવા જોશને સાઇડલાઇન કરીને અનુભવી નેતાઓને રાજ્યની કમાન સોંપવાનું કામ કર્યું છે.
કમલનાથના ઘર બહાર સમર્થકોનો જમાવડો
ભોપાલમાં કમલનાથના ઘર બહાર સમર્થકોનો જમાવડો શરૂ થઇ ગયો છે. ત્યારે દિલ્હીમાં સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા.