ભોપાલઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમત મળવા પર અને મુખ્યમંત્રી પસંદ કરાયા બાદ આજે (શુક્રવાર)નાં રોજ કમલનાથે કોંગ્રેસનાં અન્ય નેતાઓ સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી. નક્કી કરાયું છે કે શપથ ગ્રહણ સમારોહ 17 ડિસેમ્બરનાં રોજ લાલ પરેડ મેદાનમાં હશે.
કોંગ્રેસનાં નવા ચૂંટાયેલા નેતા કમલનાથે રાજભવનમાંથી બહાર નીકળીને સંવાદદાતાઓને જણાવ્યું કે 17 ડિસેમ્બરનાં રોજ બપોરનાં ડોઢ કલાકે લાલા પરેડ મેદાનમાં શપથ ગ્રહણ કરવાની રહેશે.
કમલનાથ સાથે પ્રદેશ પ્રભારી દીપક બાવરિયા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સાંસદ વિવેક તન્ખા અરૂણ યાદવ સુરેશ પચૌરી વગેરે હતાં. રાજ્યપાલ સાથે કોંગ્રેસ પ્રતિનિધિમંડળનો સંવાદ થયો. રાજ્યનાં ધારાસભ્યોએ ગુરૂવારની રાત્રીએ કમલનાથને પોતાનાં નેતા તરીકે પસંદ કરી લીધેલ છે.
ત્યાર બાદ પર્યવેક્ષક એ. કે. એન્ટોની સાથે કમલનાથનાં નામની જાહેરાત કરી. કમલનાથ નેતા તરીકે પસંદ કરાયાં બાદ તેઓની સરકાર ચૂંટણી દરમ્યાન લોકોને માટે બનાવવામાં આવેલ વચનપત્ર પર અમલ કરવાનો પ્રયાસ કરશે.
દિગ્વિજય બોલ્યાં 'હવે વાયદાને પૂર્ણ કરો'
મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને કમલનાથને શુભકામના પાઠવી. તેઓએ સાથે એમ પણ જણાવ્યું કે હવે તેઓની સામે એક ચેલેન્જ છે કે તેઓ જલ્દીથી જલ્દી પોતાનાં વાયદાને પૂર્ણ કરે. જેથી મધ્યપ્રદેશની જનતાનો વિશ્વાસ કોંગ્રેસમાં બન્યો રહે.
કોંગ્રેસ ધારાસભ્ય દળ દ્વારા સર્વ સંમત્તિથી કમલનાથજીને નેતા તરીકે પસંદ કરી લેવા પર દરેક નવા પસંદ કરાયેલા ધારાસભ્યોને હાર્દિક ધન્યવાદ પાઠવ્યાં. હવે કમલનાથજીની જવાબદારી છે કે તેઓનાં દ્વારા બનાવવામાં આવેલ વચન પત્રનાં દરેક વચન પૂર્ણ કરે જેથી મધ્યપ્રદેશની જનતાનો વિશ્વાસ કોંગ્રેસમાં જળવાઇ રહે. નર્મદે હર.