દેશમાં અને ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કમોસમી વરસાદે 8 રાજ્યમાં કેર વર્તાવ્યો છે. 8 રાજ્યોમાં કુલ 35 લોકોના મોત અને 40થી વધુને ઇજા થઇ છે. જેના પગલે પીએમ મોદીએ ટ્વીટ કરીને ગુજરાતમાં આવેલા વાવાઝોડાના પગલે મૃતકોને રૂપિયા 2-2 લાખની અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની આર્થિક સહાય જાહેર કરી છે. જ્યારે મધ્યપ્રદેશના સીએમ કમલનાથે પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. જોઇએ આ અહેવાલમાં.
દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે પવન સાથે આવેલા વાવાઝોડા અને કમોસમી વરાસાદના કારણે તબાહી મચી છે. કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં 11 લોકોનાં મોત થયા છે. ત્યારે પીએમ મોદીએ રૂપિયા બે લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. પીએમ મોદીએ રિલિફ ફંડમાંથી આ સહાયની જાહેરાત કરી છે. જે અંતર્ગત તમામ મૃતકોને રૂપિયા 2-2 લાખની આર્થિક સહાય મળશે. ગુજરાતના મૃતકોને પણ રૂપિયા 2-2 લાખની આર્થિક સહાય મળશે. તો ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.
Anguished by the loss of lives due to unseasonal rains and storms in various parts of Gujarat. My thoughts are with the bereaved families.
Authorities are monitoring the situation very closely. All possible assistance is being given to those affected.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 17, 2019
પીએમ મોદીએ ટ્વીટ કરીને કરીને ગુજરાતમાં આવેલા વાવાઝોડાના અસરગ્રસ્તો અને મૃતકો માટે આર્થિક સહાય જાહેર કરી છે. ત્યારે મધ્યપ્રદેશના સીએમ કમલનાથે પીએમ મોદી પર કટાક્ષ કરતા નિવેદન આપ્યું છે કે, મોદીજી તમે દેશના પીએમ છો, નહીં કે ગુજરાતના. શું પીએમ મોદીની સંવેદનાઓ માત્ર ગુજરાત પર જ છે. મધ્યપ્રદેશમાં પણ વાવાઝોડાના પગલે 10થી વધુ લોકોનાં મોત થયા છે.
PM @narendramodi approved an ex- gratia of Rs. 2 lakh each from the Prime Minister’s National Relief Fund for the next of kin of those who have lost their lives due to unseasonal rain and storms in various parts of Gujarat.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ટ્વીટ કરીને ગુજરાતમાં આવેલા વાવાઝોડાના પગલે મૃતકો અને ઈજાગ્રસ્તોને આર્થિક સહાય જાહેર કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાં આવેલા વાવાઝોડાના પગલે 35 લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં 11 લોકોનાં મોત થયા છે.. ત્યારે પીએમ મોદીએ મૃતકો માટે રૂપિયા 2-2 લાખની અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની આર્થિક સહાય જાહેર કરી છે.
मोदी जी , आप देश के पीएम ना कि गुजरात के।
एमपी में भी बेमौसम बारिश व तूफ़ान के कारण आकाशीय बिजली गिरने से 10 से अधिक लोगों की मौत हुई है।लेकिन आपकी संवेदनाएँ सिर्फ़ गुजरात तक सीमित ?
भले यहाँ आपकी पार्टी की सरकार नहीं है लेकिन लोग यहाँ भी बस्ते है।
તમને જણાવી દઇએ કે, દેશભરમાં ગતરોજ બદલાયેલા મોસમના કારણે ભારે નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ નુકસાન 8 રાજ્યોને થયું. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હરિયાણા અને નવી દિલ્હીમાં વરસાદ, વાવાઝોડું અને વીજળી પડતા 35 લોકોના મોત થયા છે.
જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે હવામાન વિભાગે કહ્યું કે, આજે અને ગુરુવારે પણ આ પ્રકારનું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ મુજબ પાકિસ્તાનથી આવેલા પશ્ચિમી વિક્ષોભ અને છેલ્લા 3થી 4 દિવસોથી ચાલી રહેલા હીટવેવને લઇ દેશના પશ્ચિમ-ઉત્તર ભાગ, મધ્ય ક્ષેત્ર અને વિદર્ભ અને પ.બંગાળમાં ભારે વાવાઝોડું સાથે વરસાદ પડ્યો હતો.
ત્યારે રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લામાં ભારે વરસાદ પડ્યો. જેમાં પાટણ, રાજકોટ, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદ પડ્યો જેમાં 11 લોકોના મોત નિપજ્યા છે...જ્યારે રાજસ્થાનમાં પણ 11 અને મધ્યપ્રદેશમાં 10 લોકોના મોત નિપજ્યા છે. તો પંજાબમાં 2, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને હિમાચલમાં એક-એકના મોત થયા છે.