ગઈકાલે એટલે કે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ 3 મે સુધી દેશમાં લોકડાઉન લંબાવાની જાહેરાત કરી હતી. જે બાદ પોતાના વતન જવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જમા થઈ ગયા હતા. જેના કારણે ભીડને ત્યાંથી હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ મજૂરોની માંગ હતી કે, તેઓ પોતાના વતન પાછા જઈ શકે તેની વ્યવસ્થા કરવામાં આવે.
ગઈકાલે મુંબઈના બાંદ્રામાં મજૂરોએ લોકડાઉનનો કર્યો વિરોધ
હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા મજૂરો
ત્યારે કમલ હસને ટ્વિટ કરીને કહી આ વાત
તમને જણાવી દઈએ કે, બાંદ્રામાં જમા થયેલી ભીડને કારણે બોલિવૂડ હસ્તીઓના રિએક્શન આવી રહ્યાં છે. જેમાં હાલમાં જ બોલિવૂડ એક્ટર કમલ હસને એક ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કમલે લખ્યું- બાલકનીમાં ઊભા રહેલા લોકોએ જમીન પરની હકીકતને જોવી જોઈએ. પહેલાં દિલ્હી અને હવે મુંબઈ. પ્રવાસી સંકટ અત્યારે બોમ્બ જેવો છે. જેને ડિફ્યૂઝ કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે, આ લોકો કોરોનાથી મોટું સંકટ બની શકે છે. જેથી બાલ્કની સરકારે પોતાની દ્રષ્ટિ જમીન પર પણ રાખવી જોઈએ. જેથી ખબર પડશે કે, ગ્રાઉન્ડ સ્તરે શું થઈ રહ્યું છે.
All the balcony people take a long and hard look at the ground. First it was Delhi, now Mumbai.
The migrant crisis is a time bomb that must be defused before it becomes a crisis bigger than Corona. Balcony government must keep their eyes on what's happening on the ground too.
કમલ હસનની આ ટ્વિટ પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, લોકડાઉન ખતમ થવા અને પોતાના ઘરે જવાની આશામાં મુંબઈ બાંદ્રામાં ભારે સંખ્યામાં પ્રવાસી મજૂરો જમા થઈ ગયા હતા. આ તમામ મજૂરો પોતાના વતન જવા માંગતા હતા. પરંતુ આ દરમિયાન ભીડ વધતી ગઈ અને ત્યાં નાસભાગ મચી ગઈ હતી, જેને કાબૂમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.