આસામથી અમુક કિમી દૂર હાજર કામાખ્યા મંદિરને શક્તિપીઠના રૂપમાં ઓળખવામાં આવે છે. અહીં દેવીની યોનીની પૂજા થાય છે. જણાવી દઈએ કે ત્રણ દિવસ સુધી અહીં માસિક ધર્મ વખતે મંદિરના કપાટ બંધ રહે છે.
આસામમાં આવેલું છે કામાખ્યા દેવીનું મંદિર
માતાજીની મૂર્તિ નહીં યોનિની થાય છે પૂજા
માસિક ધર્મ વખતે મંદિરના કપાટ રહે છે બંધ
માતા શક્તિના 51 શક્તિપીઠોમાંથી એક કામાખ્યા શક્તિપીઠ દેશભરમાં ખૂબ જ ફેમસ છે. તેને કામાખ્યા દેવીનું મંદર અને અધોરિયોનું ગઢ માનવામાં આવે છે.
આસામની રાજધાની દિસપુરથી લગભગ 7 કિમી દૂર રહેલું આ નીલાંચલ પર્વતથી 10 કિમી દૂર છે. જણાવી દઈએ કે મંદિરમાં એક કુંડ છે. જે ફૂલોથી ઢાંકેલો હોય છે. આ કુંડમાંથી તમે જળ નિકળતું જોઈ શકો છો.
ઈચ્છા પુરી થવા પર થાય છે ભંડારા
ઈચ્છા પુરી થવા બાદ લોકો અહીં કન્યા પૂજન અને ભંડારા પણ કરે છે. સાથે જ અહીં પશુઓની બલી પણ ચઢાવવામાં આવે છે. પરંતુ અહીં માદા જાનવરોની બલી નથી ચડાવવામાં આવતી.
કામાખ્યા મંદિરના ત્રણ મોટા ભાગ
કામાખ્યા મંદિરને ત્રણ ભાગમાં બનાવવામાં આવ્યું છે. પહેલો ભાગ સૌથી મોટો છે જેમાં બધાને જવાની પરવાનગી નથી. બીજા ભાગમાં માતાના દર્શન થાય છે. જ્યાં એક પત્થરથી પાણી નિકળે છે. માનવામાં આવે છે કે મહિનાના ત્રણ દિવસ માતાના માસિક ધર્મ હોવાના કારણે કપાટ બંધ રાખવામાં આવે છે.
માતાજીની નથી કોઈ પ્રતિમા
મંદિરમાં દેવીની કોઈ પ્રતિમા નથી. પરંતુ યોનીના સ્વરૂપમાં અહીં તેમની પૂજા કરવામાં આવે છે. યોનીની મૂર્તી ગુફાના એક ખૂણામાં સ્થાપિત છે.
મંદિરની પાસેની નદી થઈ જાય છે લાલ
જૂનમાં મંદિરની પાસે બ્રહ્મપુત્ર નદી લાલ થઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે તે સમયે માતાના માસિક ધર્મનો સમય હોય છે. તે સમયે મંદિરમાં ત્રણ દિવસ કપાટ બંધ રહે છે અને ચોથા દિવસે પ્રજનન ઉત્સવ હોય છે.
મળે છે લોહી વાળું રૂ
કામાખ્યા મંદિરમાં પ્રસાદના રૂપમાં અહીં માસિક ધર્મથી લપેટાયેલું લોહીનું રૂ મળે છે. આ રૂને મેળવવા માટે ઘણા લોકોની ખૂબ લાંબી લાઈન લાગે છે.
સાધુ અને અધોરીઓનું ગઢ
આ જગ્યા તંત્ર સાધના માટે ખૂબ જ ફેમસ છે. અહીં સાધુ અને અધોરિઓની ભીડ લાગેલી હોય છે. અહીં ખૂબ જ વધારે કાળા જાદૂ પણ થાય છે.